ધ્રાંગધ્રા સીટી પોલીસ ખાતે ઇદ તથા ગણેશ વિસર્જન તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ. - At This Time

ધ્રાંગધ્રા સીટી પોલીસ ખાતે ઇદ તથા ગણેશ વિસર્જન તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ.


સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી, જે ડી પુરોહિત,પી.આઈ એમ યુ મશીના અધ્યક્ષતામા ઈદ એ મિલાદુન નબીનું જુલાસ આવતું હોવાથી અને ગણેશ વિસર્જન તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ મુસ્લિમ બન્ને સમાજના આગેવાનો સહીત લોકો રહ્યા ઉપસ્થિત રહ્યા હતા ધાંગધ્રા શહેરમાં 16 ઈદ એ મિલાદુન નબી જુલાસ અને 17 સપ્ટેમ્બરએ ગણેશ વિસર્જનનો તહેવાર આવતો હોવાથી ધ્રાગધા સીટી પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી, જે,ડી પુરોહિત તથા પી.આઈ એમ યુ મશીની અધ્યક્ષમાં શાંતિ સમિતિની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ મહિનામાં ઈદએ મિલાદુન નબીનું જુલસ અને ગણેશ વિસર્જનનો તહેવાર બને આવતો હોવાથી બંને તહેવાર શાંતિપૂર્ણ ઉજવે તેવી ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ એમ યુ મશી દ્વારા બંને સમાજ મુસ્લિમ સમાજ તથા હિન્દુ સમાજના આગેવાનો સાથે મીટીંગ બોલાવીને માહિતગાર કરેલ અને તહેવાર ઉજવણીના ભાગરૂપે સોશિયલ મીડિયામાં થતી પોસ્ટ વિશે કડક સૂચનાઓ આપવામાં આવી હતી જેમાં ડીવાયએસપી, જે ડી પુરોહિત તથા પીઆઈ એમ. યુ. મશીના અધ્યક્ષમાં શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ હતી આ મિટિંગમા હિન્દુ સમાજ ના આગેવાનો સામાજિક કાર્યકરો મુસ્લિમ સમાજના આગેવાનો પત્રકાર મિત્ર સહીત સમાજના આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.