( “હર ઘર તિરંગા” અભિયાનના ભાગરૂપે ) " ડભોઇ પોસ્ટ ઓફીસ દ્વારા રેલીનું આયોજન : તિરંગાનું વેચાણ રવિવાર અને જાહેર રજાના દિવસે પણ કરાશે " - At This Time

( “હર ઘર તિરંગા” અભિયાનના ભાગરૂપે ) ” ડભોઇ પોસ્ટ ઓફીસ દ્વારા રેલીનું આયોજન : તિરંગાનું વેચાણ રવિવાર અને જાહેર રજાના દિવસે પણ કરાશે “


રિપોર્ટ:- નિમેષ સોની,ડભોઈ

દેશભરમાં આઝાદીના ૭૫- મા વર્ષની ઉજવણી થઈ રહી છે. જેના ભાગરૂપે ' આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત “હર ઘર તિરંગા” અભિયાન સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ ભારત દેશના દરેક નાગરીકમાં રાષ્ટ્રીય ભાવનાનું સિંચન થાય અને તિરંગા પ્રત્યે સન્માનની ભાવના કેળવાય તેવા શુભ આશય સાથે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વડોદરા જિલ્લા ખાતે “હર ઘર તિરંગા” અભિયાન હેઠળ ડભોઇ પોસ્ટ ઓફીસ દ્વારા પ્રભાત રેલીનું આયોજન કરવામાં આવ્યું. જે ભારત ટોકીઝ પાસેની હેડ ઓફીસ શરૂ કરી લાલ બજાર, ટાવર ચોક, વડોદરીભાગોળના મુખ્ય માર્ગો ઉપર આ પ્રભાત રેલીએ પ્રસ્થાન કર્યું હતું.
દેશપ્રેમ વધે તે હેતુથી ''હર ઘર તિરંગા'' અભિયાનમાં નાગરિકોને ભાગીદાર બનવા સમગ્ર દેશ થનગની રહ્યો છે. તા.૧૩ થી ૧૫ ઓગષ્ટ સુધી નાગરિકો પોતાના ઘર, દુકાન, જાહેર સ્થળો, કોમર્શીયલ ઇમારતો, ઉદ્યોગ સંસ્થાનો, સામાજિક અને સહકારી સંસ્થાઓ વગેરે જગ્યાએ શાનથી રાષ્ટ્રધ્વજને લહેરાવશે અને દેશનું ગૌરવ વધારશે.
“આઝાદી કા અમૃત મહોત્સવ“ દરમિયાન પોસ્ટ વિભાગ દ્વારા " તિરંગા રાષ્ટ્ર ધ્વજ ”નું રૂ. ૨૫ ના મૂલ્યે વેચાણ થઈ રહ્યું છે. વડોદરા જિલ્લામાં આવેલ તમામ પોસ્ટ ઓફિસોમાં તેનું વેચાણ જોરશોરથી ચાલી રહયું છે. આ વેચાણની પ્રક્રિયા રવિવાર તેમજ જાહેર રજાના દિવસે પણ તમામ પોસ્ટ ઓફિસમાં ચાલુ રાખવામાં આવશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા જણાવ્યું છે. ડભોઇ નગરમાં બે પોસ્ટ ઓફીસ આવેલી છે. જેમાં હેડ ઓફીસ અને ડભોઈ રેલ્વે પોસ્ટ ઓફિસ આમ નગરની બે પોસ્ટ ઓફિસ દ્વારા અત્યાર સુધીમાં આશરે ૮૦૦૦ થી વધુ તિરંગાનુ વેચાણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ડભોઈ પોસ્ટ ઓફિસના તમામ સ્ટાફ ગણ અને પોસ્ટ એજન્ટો મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાયા હતા. આ સમગ્ર કાર્યક્રમ ડભોઈ હેડ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર કે.સી. સિંધા, રેલવે પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર જગદીશભાઈ રોહિત તથા પોસ્ટ આસિસ્ટન્ટ પ્રશાંતભાઈ દરજીના માર્ગદર્શન અને તમામ સ્ટાફના સહકારથી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon