અનોખુ મંદિર: આ મંદિરના પ્રસાદમાં ભક્તોને મળે છે સેન્ડવિચ,બર્ગર,ચાઉમીન... - At This Time

અનોખુ મંદિર: આ મંદિરના પ્રસાદમાં ભક્તોને મળે છે સેન્ડવિચ,બર્ગર,ચાઉમીન…


નવી મુંબઇ, તા. 24 જૂન, 2022, શુક્રવાર ભારત સહિત વિશ્વમાં ગમે તે મંદિરને પવિત્ર સ્થળ કહેવામાં આવે છે જ્યાં ભગવાનનો વાસ હોય છે. ભલે ઈશ્વર દુનિયાની દરેક વસ્તુમાં હોય પરંતુ મંદિરોમાં તેની મૂર્તિ સ્થાપિત કરીને ભક્તો પોતાનું શીશ જરૂરથી ઝુકાવવા મંદિરે આવે છે. મંદિરમાં ભગવાનની પૂર્જા-અર્ચના બાદ પ્રસાદનો પણ અનેરો માહત્મય હોય છે. પ્રસાદને લોકો ખૂબ જ પ્રેમભાવથી ગ્રહણ કરતા હોય છે.  પણ પ્રસાદ એટલે તમે શું સમજ્યા? લાડુ,ખાંડ, રેવડી હેને? ના ના અમે જે મંદિરની વાત કરી રહ્યાં છીએ તે, જ્યાંના બિરાજમાન ભગવાન સેન્ડવિચ અને બર્ગર ખાય છે ક્યાં છે આ મંદિર હા તમને પહેલાં તો એ જાણવુ હશે કે, આ મંદિર છે ક્યાં?તો તમને જણાવી દઇએ કે મંદિર આ મંદિર ચેન્નાઈના પડપ્પાઈમાં સ્થિત છે, જેનું નામ જય દુર્ગા પીઠમ મંદિર છે. આ મંદિરમાં લોકોને પ્રસાદ તરીકે બ્રાઉની, બર્ગર અને સેન્ડવીચ મળે છે. લોકો આ પ્રસાદને ખૂબ જ ખુશીથી અર્પણ કરે છે.  ચેન્નાઇના આ મંદિરના પ્રસાદ FSSAI દ્વારા પ્રમાણિત પણ છે. આ સાથે પ્રસાદ પર એક્સપાયરી ડેટ પણ લખેલી હોય છે. જેથી ખાવામા લોકો કોઇ સંકોચ પમ રાખતા નથી. મંદિરની સ્થાપના કરનાર એક હર્બર ઓન્કોલોજિસ્ટ કે શ્રી શ્રીધરે જણાવ્યું કે, આ મંદિરમાં પવિત્રતા અને ચોખ્ખાઈને સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે. ક્યારેક મંદિરોમાં ખરાબ પ્રસાદ પણ વહેંચાઈ જાય છે અને તેને કારણે લોકોનું સ્વાસ્થ્ય પણ બગડે છે.  પરંતૂ અહીં એવુ નથી અમારા મંદિરના પ્રસાદ પર તેની એક્સપાઇરી ડેટ લખેલી જ હોય છે. રેગ્યુલર ભક્તોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છેમંદિરમાં જે શ્રદ્ધાળુઓ અહીં સતત આવે છે તેમની જન્મતારીખ અને નામ રેકોર્ડમાં ઉપલબ્ધ જ રહે છે. ભક્તો જ્યારે પોતાના જન્મદિવસ પર મંદિરમાં આવે છે ત્યારે અહીં જન્મદિવસની કેક પણ તેમને મળે છે. કેક ભક્તોને પ્રસાદ તરીકે આપવામાં આવે છે. આવુ મંદિર તમે ક્યાંય નહી જોયુ હોય જ્યાં શ્રદ્વાણુઓને પોતાના જન્મદિવસ પર પ્રસાદ મળતો હોય.   જો તમારા નસીબમાં હશે તો તમે પણ અવશ્ય આ પ્રકારના એક નવા મોર્ડન અને ન્યૂ લાઈફસ્ટાઇલના મંદિરે પણ ભગવાનના અચૂક દર્શન થશે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon