વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મહેસાણા વિભાગની બેઠક મહેસાણા ખાતે યોજાઈ ગઈ હતી - At This Time

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મહેસાણા વિભાગની બેઠક મહેસાણા ખાતે યોજાઈ ગઈ હતી


🚩 વિશ્વ હિન્દુ પરિષદ - મહેસાણા વિભાગ બેઠક 🚩

આજરોજ દિનાંક 1 માર્ચ 2023 ને બુધવારના દિવસે વિશ્વ હિન્દુ પરિષદ મહેસાણા વિભાગની બેઠક મહેસાણામાં યોજાઈ. આ બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદ અખિલ ભારતીય સેવા સહ પ્રમુખ માનનીય શ્રી અંબરીશ જી નો પણ પ્રવાસ રહ્યો મહેસાણા વિભાગમાં. વિભાગ બેઠકમાં મુખ્ય બૌદ્ધિક માનનીય અંબરીશ જી નું જ રહ્યું હતું. વિભાગ બેઠકમાં વિશ્વ હિન્દુ પરિસદ ઉત્તર ગુજરાત પ્રાંત સંગઠન મંત્રી માનનીય શ્રી રાજેશભાઈ પટેલ, ઉત્તર ગુજરાત પ્રાંત મંત્રી માનનીય શ્રી નલીનભાઇ પટેલ, ઉત્તર ગુજરાત પ્રાંત ગૌરક્ષા પ્રમુખ શ્રી નવીનભાઈ, મહેસાણા વિભાગ મંત્રી શ્રી હિતેષભાઇ ઠક્કર ની મુખ્યત્વે ઉપસ્થિતી રહી હતી.

પ્રાંત સંગઠન મંત્રી શ્રી રાજેશભાઈ પટેલ દ્વારા બેઠકમાં સંગઠન તથા સંગઠન ના જુદા જુદા આયમો વિશે ખુબ પાયાનું બૌદ્ધિક આપવામાં આવ્યું. ઉપરાંત શ્રી રાજેશભાઈ પટેલે સંગઠનમાં સેવાકાર્ય કરવાની રીતિનિતી અંગે ખુબ ઉત્સાહ વર્ધક જાણકારી આપી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon