અરવલ્લી જિલ્લા કલેકટરશ્રી ની અઘ્યક્ષતામાં મળી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક. - At This Time

અરવલ્લી જિલ્લા કલેકટરશ્રી ની અઘ્યક્ષતામાં મળી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક.


અરવલ્લીના મોડાસા ખાતે જિલ્લા કલેકટર શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અઘ્યક્ષતામાં જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક મળી. બેઠકમાં અનાજ વિતરણના ભાવ અને પ્રમાણ બાબતે ચર્ચા કરવામાં આવી. આ સાથે જિલ્લામાં કેરોસીન ફાળવણી તેમજ તેના વિતરણ પ્રમાણ અને ભાવમાં થયેલ ફેરફાર અંગે પણ સમિક્ષા કરવામાં આવી.

આ ઉપરાંત જિલ્લામાં વિવિધ કારણોસર બંધ થયેલ વાજબી ભાવની દુકાનો અને જાહેરનામા બહાર પાડવા ઉપરાંત નવીન દુકાનોની ફાળવણી અંગે પણ ચર્ચા કરી યોગ્ય નિર્ણય લેવા સૂચન આપવામાં આવ્યા. બેઠકમાં નિગમના ગોડાઉનમાં હાજર અનાજ વગેરેના સ્ટોકની પોઝિશન અંગે પણ ગહન ચર્ચા કરવામાં આવી.

આજની બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી ડો.નરેન્દ્રકુમાર મિના , ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ઠાકોર, પૂર્વ નગરપાલિકા પ્રમુખ શ્રી સુભાષભાઈ શાહ, અન્ન પુરવઠા વિભાગના અધિકારી શ્રી ડો. મિતા ડોડીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon