કેશોદ સોશ્યલ ગ્રુપ દ્વારા રાજકોટમાં સ્નેહ મિલન સહીત વિવિધ કાર્યક્રમો યોજાશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/suephb6m299zg9ss/" left="-10"]

કેશોદ સોશ્યલ ગ્રુપ દ્વારા રાજકોટમાં સ્નેહ મિલન સહીત વિવિધ કાર્યક્રમો યોજાશે


કેશોદ સોશ્યલ ગ્રુપ રાજકોટ દ્વારા મૂળ કેશોદ અને કેશોદ તાલુકાના રાજકોટમાં રહેતા પરિવારોનું સ્નેહ મિલન આગામી તા. ૧૮-૧૨-૨૦૨૨ ને રવિવારના રોજ સાંજના ૬-૦૦ કલાકે કોટક સ્કૂલ, મોટી ટાંકી ચોક, મોદી હોસ્પિટલ પાછળ, રાજકોટ મુકામે યોજવામાં આવેલ છે. આ સ્નેહ મિલનમાં મેડિકલ કેમ્પ. રકતદાન કેમ્પ, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા ભોજન સમારંભનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ સામાજિક ઉત્કર્ષના પ્રકલ્પો પર વિચારણા કરવામાં આવશે. આ અંગે વધુ માહિતી માટે પ્રમુખ કેશોદ સોશ્યલ ગ્રુપ રાજકોટ શ્રીઉપેદ્રભાઇ ઠકરાર મો.નં. ૯૯૭૪૭ પર૬૬૦ નો સંપર્ક કરવા સંસ્થા તરફથી યાદી પાઠવવામાં આવે છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]