રાપર વિધાનસભા બેઠક ના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજા ની જન સમર્થન સભા માટે ઉત્તર પ્રદેશ ના મુખ્ય મંત્રી આદિત્ય નાથ એ જંગી જનસભા ને સંબોધી હતી - At This Time

રાપર વિધાનસભા બેઠક ના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજા ની જન સમર્થન સભા માટે ઉત્તર પ્રદેશ ના મુખ્ય મંત્રી આદિત્ય નાથ એ જંગી જનસભા ને સંબોધી હતી


રાપર ખાતે આજે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાના સમર્થનમાં સભા સંબોધી હતી.
તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા એડિંચોટીનું જોર લગાવી રહી છે. તેમજ ઠેર ઠેર સ્ટાર પ્રચારકોથી લઇ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પ્રચાર કરી રહ્યા છે. ત્યારે
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાપર ખાતે જાહેર સભા સંબોધતા જણાવ્યું કે આ અગાઉ કચ્છના ભૂકંપ દરમિયાન મને આવવાનો અવસર મળ્યો હતો. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલને સન્માન આપવામાં આવ્યું છે કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઑફ યુનિટીની ભેટ આપવામાં આવી છે. ગુજરાતની માટીએ જ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદ પ્રાપ્ત કરાવ્યું છે.
તેમજ ભાજપ તરફી મતદાન કરવા માટે લોકો ને અપીલ કરી હતી
યોગીનો કચ્છમાં જંગી પ્રચાર, રાપર બેઠક પરત મેળવવા ભાજપની કવાયત


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon