વિરપુર તાલુકા પંચાયતની જોધપુર બેઠક કોંગ્રેસનું ફોર્મ નામંજુર થતાં ભાજપના ફાળે ગઇ.... - At This Time

વિરપુર તાલુકા પંચાયતની જોધપુર બેઠક કોંગ્રેસનું ફોર્મ નામંજુર થતાં ભાજપના ફાળે ગઇ….


મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં 4 ઉમેદવાર ફોર્મ ભરાતા રાજ્કીય માહોલ ગરમાયો છે આ પેટા ચૂંટણીમાં પોતાના ઉમેદવાર બિનહરીફ જાહેર થાય તે માટે બેઠકો નો દૌર શરૂ થઈ ગયો છે. જોકે, સોમવારે ફોર્મ ચકાસણી દરમ્યાન કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું હતું. જેના કારણે આ બેઠક બિનહરીફ થતા ભાજપના ફાળે આવી છે વિરપુર તાલુકા પંચાયતની જોધપુર બેઠકની પેટા ચુંટણી માટે 4 જેટલા ઉમેદવારોએ મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરાયા હતા આ બેઠક પરના સભ્યનું 19 માસ પહેલા અવસાન થતા ખાલી પડેલી જગ્યા પર પેટા ચુંટણી યોજાઈ રહી છે. જોધપુર તાલુકા પંચાયત બેઠકની પેટા ચુંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો દ્વારા મોટી સંખ્યામાં ફોર્મ લઈ ગયા હતા જેમાંથી ભાજપ અને કોંગ્રેસના જ ઉમેદવારોએ ફોર્મ ભરવાના અંતિમ દિવસે મામલતદાર કચેરીમાં સમર્થકો સાથે વાજતે ગાજતે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતાં. આ પેટા ચુંટણીમાં પોતાનો ઉમેદવાર બિનહરીફ થાય તે માટે રાજકીય પક્ષો દ્વારા સામ, દામ, દંડ, ભેદની નીતિ સાથે પ્રયત્ન શરૂ કરી દેવાયા છે આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી જ ટક્કર હતી જેમાં કોંગ્રેસના ઉમેદવાર સુમિત્રાબહેન રણજીતસિંહ ઠાકોરનું ફોર્મ નામંજુર થયું હતું. સૂત્રોના જણાવ્યાનુસાર, ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 23 મુજબ તાલુકા પંચાયત મતદાન મંડળની 2021ની મતદાર યાદીમાં ઉમેદવારનું નામ ચાલતું ન હોય જેથી ફોર્મ નામંજૂર થયું હતું. આમ, બેઠક પર ભાજપના ઉમેદવાર ભાવનાબેન મહેન્દ્રભાઈ પરમારનું ફોર્મ મંજૂર થતા તેમને બિનહરીફ જાહેર કરાય હતા...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image