માળીયા હાટીનામાં ભાજપ દ્વારા લોક સંપર્ક યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/schvpjxzp249rpjp/" left="-10"]

માળીયા હાટીનામાં ભાજપ દ્વારા લોક સંપર્ક યોજાયો


હાલ ગુજરાત વિધાન સભાની ચૂંટણી પડઘમ બંધ થવાની તૈયારી થવાની તૈયારીમાં છે ત્યારે 89 માંગરોળ માળીયા હાટીના વિધાન સભા બેઠકમાં માળીયા હાટીનામાં ભાજપના આગેવાનો અને કાર્યોકરો દ્વારા રેલ્વે સ્ટેશન ખાતેથી ,રેલ્વે સ્ટેશન રોડ, મહારાણા પ્રતાપસિંહજી ચોકમાં પ્રતાપસિંહજીની પ્રતિમાને પુષ્પહાર પહેરાવી મેઈન બજાર , સાસણ રોડ, બસ સ્ટેશન રોડ સહિત વિસ્તારોમાં આગેવાનો દ્વારા લોક સંપર્ક કર્યો હતો

લોક સંપર્કમાં દરેક વહેપારીએ અભિનંદન પાઠવ્યા હતા અને આ લોક સંપર્ક 89 માંગરોળ માળીયા હાટીના વિધાન સભા બેઠકના ઉમેદવાર ભગવાનજીભાઈ કરગઠિયા, જૂનાગઢ જિલ્લાના સંસદ રાજેશ ચુડાસમા, જુનાગઢ જીલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ લક્ષ્મણ ભાઈ યાદવ, તાલુકા પંચાયત પ્રમુખ દિલીપ ભાઈ સીસોદીયા, જૂનાગઢ બાંધકામ સમિતિના ચેરમેન દિલીપ સિંહ સીસોદીયા, તાલુકા ભાજપ પ્રમુખ રાજેશ ભાલોડિયા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ઠાકરશી ભાઈ જાવીયા, હમીરસિંહ સીસોદીયા, મહેન્દ્રભાઈ ગાંધી સહિતના આગેવાનો અને કાર્યોકરો મોટી સંખ્યામાં જોડાયા હતા

બાઈટ ભગવાનજીભાઈ કરગઠિયા
ઉમેદવાર 89 માંગરોળ માળીયા હાટીના

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]