જાણીતા વકીલ અને ચુસ્ત આરએસએસવાદી ગીરીશભાઈ ગોજીયાનો આજે જન્મદિવસ - At This Time

જાણીતા વકીલ અને ચુસ્ત આરએસએસવાદી ગીરીશભાઈ ગોજીયાનો આજે જન્મદિવસ


જાણીતા વકીલ અને ચુસ્ત આરએસએસવાદી ગીરીશભાઈ ગોજીયાનો આજે જન્મદિવસ

જામનગર: ખુબ નાની ઉંમરમાં વકીલાત ક્ષેત્રમાં આમોલ સિધ્ધી પ્રાપ્ત કરનાર જામનગરના જાણીતા ધારાશાસ્ત્રી, સરકારી વકીલ અને ભારત સરકાર દ્વારા એડવોકેટ એન્ડ નોટરી તરીકે ફરજ બજાવે છે. વકીલ ગિરીશ રાજસીભાઈ ગોજીયાનો આજે જન્મદિવસ છે.

ગિરીશભાઈ બાલ્યકાળથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંધની વિચારધારા સાથે જોડાયેલ છે. તેઓએ સંઘ યોજનાથી ઉપલેટા, જુનાગઢ, પોરબંદર અને સોમનાથ વેરાવળમાં વિસ્તારક અને વર્ષ ૨૦૦૨ થી ૨૦૦૮ સુધી દ્વારિકા, કલ્યાણપુર, ખંભાળિયા અને જામનગર જિલ્લાના સંધ પ્રચારક તરીકે કામ કરેલ છે. તેઓ વર્ષ ૨૦૦૮ માં રાજકોટ સ્થિત સૌરાષ્ટ્રના ખ્યાતનામ વકીલ અભયભાઈ ભારદ્વાજ સાથે જોડાઈને જયુડીશીયલ મેજીસ્ટ્રેટની પરીક્ષા પાસ કરેલ, તેમ છતા જજ તરીકે નોકરી ન કરી, વર્ષ ર૦૧૧ થી જામનગરમાં વકીલાતની શરૂઆત કરી સખત પરીશ્રમથી પ્રતિષ્ઠીત વકીલ તરીકે સ્થાન પ્રાપ્ત કરી હાલ ગોકુલનગર રોડ પર 'ગોજીયા એસોસિયેટ' નામે વકીલાત ફર્મની વિશાળ ઓફિસમાં ન્યાયીક વ્યવસાય સાથે કાર્યરત છે. હાલ ગીરીશભાઈ સરકારી વકીલ તરીકે પણ ઉમદા સેવા આપી રહ્યા છે.

એડવોકેટ ગિરીશભાઈ દ્વારા તેઓના પિતાજીની સ્મૃતીમાં સ્વ. રાજસીભાઈ કેશાભાઈ ગોજીયા ચેરીટેબલ ટ્રસ્ટ બનાવી 8 વર્ષથી હજારો વિર્ધાથીઓને વિનામુલ્યે નોટબુક વિતરણ, મેડીકલ કેમ્પ તથા ખેડુતલક્ષી કાર્યક્રમો કરે છે. તેઓ આહિર સમાજ જામનગરની શૈક્ષણીક સંસ્થાના ટ્રસ્ટી છે તથા અનેક સેવાકીય કાર્યમાં જોડાયેલ છે. તેઓના મોબાઈલ નંબર 9898968448 છે.


8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.