દિવ્યાંગ મતદારો માટેના એકસેસીબિલિટી ઓબ્ઝર્વર દ્વારા પંચમહાલ જિલ્લાના બુથોનું નિરીક્ષણ કરવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ruj99virk5cebqfk/" left="-10"]

દિવ્યાંગ મતદારો માટેના એકસેસીબિલિટી ઓબ્ઝર્વર દ્વારા પંચમહાલ જિલ્લાના બુથોનું નિરીક્ષણ કરવામાં આવ્યું


અવસર લોકશાહીનો, ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત ચૂંટણી પંચ દ્વારા નિમાયેલા વિશેષ મતદારો (દિવ્યાંગ અને ૮૦થી વઘુ ઉંમરવાળા) માટે મતદાન મથકે, સગવડતાના સ્પેશિયલ એકસેસીબિલિટી ઓબ્ઝર્વર સુશ્રી રેમ્યા મોહન દ્વારા પંચમહાલ જિલ્લાના વિવિધ વિધાનસભા મતવિસ્તારના બુથોની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં મતદાન મથકોનાં સ્થળ ઉ૫ર દિવ્યાંગ મતદારો માટે રેમ્પની વ્યવસ્થા, અલગ હરોળ તેમજ સિનિયર સિટીઝન માટે અલગ હરોળની સુવિધા ઉ૫લબ્ધ કરવામાં આવી છે કે, કેમ? તે બાબતની ચકાસણી કરી હતી.પંચમહાલ જિલ્લામાં કુલ ૮૦૧૧ દિવ્યાંગ મતદારો તથા ૨૨,૦૬૩ સિનિયર સિટીઝન મતદારો તરીકે નોંધાયેલ છે. જિલ્લાના તમામ વિઘાનસભા મત વિસ્તારના બુથ ઉ૫ર ૧૦૦% રેમ્પની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે.
મતદાનના દિવસે દિવ્યાંગ મતદારો માટે કુલ ૯૪ મતદાન મથક ઉ૫ર વ્હીલચેરની સુવિધા ઉ૫લબ્ધ કરાવવામાં આવશે, જેથી દિવ્યાંગ મતદારો સુગમતાથી તેમનું મતદાન કરી શકે. આ ઉ૫રાંત દિવ્યાંગ તથા વૃધ્ધ મતદારો માટે ટ્રાન્સપોર્ટેશન તથા સહાયકોની સુવિધા ૫ણ ઉ૫લબ્ધ કરાવવામાં આવશે.સદર મતદારો ચૂંટણી પંચની ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૯૫૦ ઉ૫ર ફોન કરી ટ્રાન્સપોર્ટેશનની માંગણી કરી શકે તેવી સુવિઘા ઉ૫લબ્ધ કરાવવામાં આવેલ છે.મુલાકાત સમયે નોડલ ઓફિસર (PWD) તથા નાયબ નિયામક (વિ.જા), મામલતદારશ્રી તથા નાયબ મામલતદારશ્રી હાજર રહ્યા હતા. એકસેસીબિલિટી ઓબ્ઝર્વર દ્વારા ઊભી કરવામાં આવેલી વ્યવસ્થા અંગે સંતોષ વ્યકત કરાયો હતો તથા જરૂરી સૂચનો પણ આ૫વામાં આવ્યા હતા.

રિપોર્ટ વિનોદ પગી પંચમહાલ શહેરા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]