સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ ગામ સરોડી ખાતે - At This Time

સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ ગામ સરોડી ખાતે


આજરોજ થાનગઢ તાલુકા ની સરોડી પ્રાથમિક શાળામાં આરોગ્ય તપાસની અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આનો મુખ્ય વિષય હતો વ્યસન મુક્તિ આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓએ વ્યસન મુક્તિનું નાટક ચિત્ર સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધા લેખન સ્પર્ધા વગેરે નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ નોડલ બાલ સ્વાસ્થ્ય વિભાગ સુરેન્દ્રનગર ડો રમણીકભાઈ તથા ડો હેતલબેન મનિષાબેન પરવેશભાઈ પુષ્પાબેન તેમજ આશા વર્કર મનુબેન ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ડો રમણીકભાઈએ વિદ્યાર્થીઓને વ્યસન કરવાથી થતા ગેરલાભ તેમજ સમતોલ આહાર લેવાથી થતા ફાયદા ની ખૂબ જ સરસ જાણકારી આપી હતી. આ પ્રસંગે ગામના વાલીઓ એસએમસીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર જયેશભાઇ મોરી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon