સુદામડા કાશીવિશ્વનાથ મહાદેવ મંદિરે પાટોત્સવ ઉજવાયો. - At This Time

સુદામડા કાશીવિશ્વનાથ મહાદેવ મંદિરે પાટોત્સવ ઉજવાયો.


સાયલા ના સુદામડા માં જેઠ સુદ ર ના દિવસે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર નો 54 મો પાટોત્સવ નીમીતે શિવ મહાપૂજા અને અભિષેક તેમજ બટુક ભોજન નો આયોજન કરવામાં આવ્યું હતું.
જે મંદિર ની સ્થાપના સંવત 2027 જેઠ સુદ ર ને બુધવાર તારીખ 26/5/1971 ના રોજ કરાઈ હતી. જેનો દરવર્ષે શિવપુજા, બટુકભોજન દ્વારા પાટોત્સવ ઉજવાય છે. હાલમાં શાસ્ત્રી શ્રી અવધેશભાઈ ત્રિવેદી દ્વારા શિવમહાપુજા કરવામાં આવી હતી. આ કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર શાસ્ત્રી અવધેશભાઈ મહારાજના પરદાદા પ્રભાશંકર ત્રિવેદી એ સ્થાપના કરી હતી. જે મંદિર ની ઉતરોતર પ્રગતિ થઈ રહી છે.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.