૭૫મા સ્વાતંત્ર્ય વર્ષ " આઝાદી કા અમૃત મહોત્સવ" ની ઉજવણી નિમિત્તે ૧૫મી ઑગસ્ટ સોમવારે સવારે - At This Time

૭૫મા સ્વાતંત્ર્ય વર્ષ ” આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણી નિમિત્તે ૧૫મી ઑગસ્ટ સોમવારે સવારે


૭૫મા સ્વાતંત્ર્ય વર્ષ " આઝાદી કા અમૃત મહોત્સવ" ની ઉજવણી નિમિત્તે ૧૫મી ઑગસ્ટ સોમવારે સવારે ૯-૦૦ કલાકે લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટિકટ ૩૨૩૨ બી૧~બી૨,જીવન તીર્થ લોક સેવા કેન્દ્ર,જાયન્ટ્સ ફાઉન્ડેશન તથા ગાયત્રી પરિવાર નારણપુરા,લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ફોટ, મણિનગર ફોટ ,જોધપુરહીલ તથા ઝેનિથના સંયુક્ત ઉપક્રમે ધ્વજવંદન કાર્યક્રમ-ત્રિરંગા-યાત્રા રેલીનું આયોજન જીવન તીર્થ લોક સેવા કેન્દ્ર,ગોરાકુંભાર,રામાપીરનો ટેકરો,વાડજ ખાતે આયોજન કરવામાં આવેલ જેમાં
શ્રી બળદેવભાઈ પટેલ,શ્રી કનુભાઈ પટેલ,શ્રી રસિકભાઈ પટેલ,ડીમ્પલ બેન શાહ , ગીરીશભાઈ પટેલ તેમજ ગાયત્રી પરિવાર, લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ,જાયન્ટ ગૃપ,જીવનતીર્થના ટ્રસ્ટી હોદ્દેદારો સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સદર કાર્યક્રમમાં એક હજારથી પણ વધારે સભ્યો~બાળકો જોડાયા જે યાત્રા- રેલી વાડજ વિસ્તારમાં ફરી ડોક્ટર આંબેડકર સાહેબની પ્રતિમાને ફૂલહાર કરી ત્યારબાદ જીવન તીર્થ લોકસેવા કેન્દ્ર ખાતે સભા સ્વરૂપમાં ફેરવાઈ હતી જેમાં યાત્રા રેલીમાં જોડાનાર દરેક વ્યક્તિને નાસ્તો,ગાયત્રી ચાલીસા, ગાયત્રી મંત્ર લેખન નોટબુકનું નિ:શુલ્ક વિતરણનું આયોજન ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા કરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon