દહેગામ ના કંથારપુરા વડ થી ચેખલાપગીના નવા રોડ પર ત્રણ મહિનામાં જ ગાબડું પડી ગયું - At This Time

દહેગામ ના કંથારપુરા વડ થી ચેખલાપગીના નવા રોડ પર ત્રણ મહિનામાં જ ગાબડું પડી ગયું


દહેગામ ના ચેખલાપગી થી કંથારપુરા વડ સુધીના રોડ પર ગાબડું પડતા વાહન ચાલકો પરેશાન . . ગુજરાત માં ભ્રસ્ટાચાર ફૂલફાલ ખીલ્યો છે તેનો એક ઉત્તમ નજારો જોવો અમારા અહેવાલ માં

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના પ્રખ્યાત ધામ કંથારપુરા થી ચેખલાપગી ગામ સુધીના રોડ પર મસમોટુ ગાબડું પડતા જ ત્રણેક મહિના પહેલા બનેલા આ રોડમાં કોન્ટ્રાક્ટર દ્વારા ઓછા માલસામાન થી બનાવેલ રોડમાં ભ્રસ્ટાચાર થયો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે હજુ તો રોડ તૈયાર થયે ત્રણ મહિના જ થયાં છે ત્યારે આ રોડ વચ્ચે ભુવો પડતા વાહનચાલકોને પરેશાન થઇ રહ્યા છે જ્યારે જાહેર જનતાના પૈસા થી બનતા આ રોડ માત્ર ત્રણ મહિના માટે જ બનાવવામાં આવે છે સુ તે સમજાતું નથી. કંથારપુરા વડ ના વિકાસ માટે નિર્માણ કાર્ય ચાલુ હોય ખુબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અહીં દર્સનાર્થે આવતા હોય છે પરંતુ આ રોડ પર મોટા ગાબડાંમાં કોઈ પડી જાય તો જવાબદારી સુ સરકાર લેશે તથા સુ સરકાર પણ કંઈક મોટો અકસ્માત બને તેની રાહ જોઈ બેસી રહી છે કે કોઈ કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું. . . રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.