જમ્મુ - કાશ્મીર : કુપવાડામાં વધુ 2 આતંકી ઠાર 18 કલાકના ઓપેરશનમાં 7 આતંકીનાં સેનાએ ભુક્કા બોલાવ્યા - At This Time

જમ્મુ – કાશ્મીર : કુપવાડામાં વધુ 2 આતંકી ઠાર 18 કલાકના ઓપેરશનમાં 7 આતંકીનાં સેનાએ ભુક્કા બોલાવ્યા


શ્રીનગર:
જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સેનાનું ઓપરેશન ચાલી રહ્યું છે. કુપવાડામાં એન્કાઉંટરમાં સુરક્ષાદળોએ વધુ બે આતંકીઓને ઠાર કર્યા છે. અહીં પર અત્યાર સુધીમાં કુલ ચાર આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.

રવિવારે અહીં ભારે ગોળીબારની વચ્ચે બે પાકિસ્તાની આતંકીઓને મારી નાખવામાં આવ્યા હતા. કુપવાડા ઉપરાંત કુલગામ અને પુલવામામાં પણ અથડામણ થઈ હતી. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, 18 કલાકમાં 3 એન્કાઉંટરમાં 7 આતંકી માર્યા ગયા છે. કુપવાડામાં લશ્કરના 4, કુલગામમાં જૈશના 2 અને પુલવામામાં લશ્કરનો એક આતંકી માર્યો ગયો છે.

કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, કુપવાડા એન્કાઉંટરમાં માર્યા ગયેલા બે આતંકીઓ શૌકત નામ પણ સામેલ છે. ઘટનાસ્થળેથી હથિયાર અને દારૂગોળા જપ્ત કરવામાં આવ્યા છે. સર્ચ ઓપરેશન હાલમાં પણ ચાલુ છે. આ ઉપરાંત કુલગામ અને પુલવામામાં પણ રવિવારે ત્રણ આતંકીઓ ઠાર કરવામા આવ્યા હતા. પોલીસ અધિકારી વિજય કુમારે જણાવ્યું હતું કે, કુપવાડામાં માર્યા ગયેલા એક આતંકીની ઓળખાણ પાકિસ્તાની નાગરિક તરીકે થઈ છે. જેનો સંબંધ લશ્કરે તૈયબા સાથે હતો. બીજો આતંકી પણ લશ્કરનો હોવાનું કહેવાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon