સિહોર ખાતે યોજાનાર મહા સમેલન માટે ભાવનગર જિલ્લા કરણીસેના દ્વારા તડામાર તૈયારીઓ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qn47gtxgipsxjig4/" left="-10"]

સિહોર ખાતે યોજાનાર મહા સમેલન માટે ભાવનગર જિલ્લા કરણીસેના દ્વારા તડામાર તૈયારીઓ


*સિહોર ખાતે યોજાનાર મહા સમેલન માટે ભાવનગર જિલ્લા કરણીસેના દ્વારા તડામાર તૈયારીઓ*

સિહોર ખાતે કરણી સેના દ્વારા આયોજિત સંમેલનમાં ક્ષત્રિયોની વચ્ચે રહેલા વિવિધ વાડાઓ દૂર કરી તમામ ક્ષત્રિયોને એક તાંતણે બાંધી ક્ષત્રિયોનું સંગઠન કરી તમના ઉત્થાન માટેના ઉદેશ્ય સાથે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના કામ કરી રહી જે જે અનુસંધાને સમગ્ર ગુજરાતમાં રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના દ્વારા સંમેલનો થઈ રહ્યા છે સિહોરમાં તા. ૨૫/૦૬/૨૦૨૨,શનિવાર ના રોજ ભાવનગર જિલ્લા કરણીસેના દ્વારા મહારેલી તેમજ મહા સંમેલનનું આયોજન કરેલ હોય,જેમાં ગુજરાત તેમ જ સમગ્ર દેશ માંથી કરણી સેનાના આગેવાનો પધારી રહ્યા હોય આ કાર્યક્રમને સફળ બનાવવા ભાવનગર જિલ્લા કરણીસેના દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે સાથે સાથે ભાવનગર જિલ્લાના ક્ષત્રિય સમાજના ગામડાઓમાં પણ મિટિંગો કરી સમાજમાં આ કાર્યક્રમ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે અને નિમંત્રણો આપવામાં આવી રહ્યા છે આ સંમેલનને એક રીતે ક્ષત્રિય રાજપૂત સમાજના શક્તિ પ્રદર્શન તરીકે પણ જોવામાં આવી રહ્યું હોય ત્યારે યુવાનો તથા વડીલોને વધુમાં વધુ સંખ્યામાં રેલી તથા સંમેલનમાં જોડાઈ આ કાર્યક્રમને સફળ બનાવવા ભાવનગર જિલ્લા પ્રભારી અશ્વિનસિંહ ડાયમા, જિલ્લા પ્રમુખ ઘનશ્યામસિંહ મોરી તથા ભાવનગર શહેર પ્રમુખ જનકસિંહ ચાવડાની યાદીમાં જણાવાયું છે

રીપોર્ટ નિલેષ ઢીલા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]