દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી ધ્વજારોહણ સાથે પ્રાર્થના કરી - At This Time

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી ધ્વજારોહણ સાથે પ્રાર્થના કરી


,

બે દિવસની સોમનાથ-રાજકોટની મુલાકાતે આવેલા આપના નેતા એવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ મહાદેવના દર્શન કરી સોમનાથ સાનિધ્યેથી રાજકીય મુદે વાતચીત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી અને બોટાદમાં થયેલ કથીત લઠ્ઠાકાંડ મુદે પણ કંઈ બોલવાનું ટાળીને મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હોવાનું જણાવ્યું હતું.

ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય પક્ષોના નેતાઓના પ્રવાસ વધી ગયા છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા એવા દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ સોમવારની રાત્રીના સોમનાથ પહોંચી રોકાણ કર્યુ હતુ. બાદ આજે સવારે રાજ્યના આપ પાર્ટીના નેતાઓ સાથે કેજરીવાલ સોમનાથ મંદિરે પહોંચી મહાદેવની પૂજા-અર્ચના સાથે ધ્વજાપુજા કરી દેશ અને દેશવાસીઓની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ તકે આપના ગોપાલ ઈટાલીયા, ઇસુદાન ગઢવી, પ્રવીણ રામ, જગમાલભાઈ વાળા સહિતના અગ્રણીઓ સાથે રહ્યાં હતા. અહીંથી કેજરીવાલ તેમના કાફલા સાથે રાજકોટ જવા રવાના થયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon