રાજકોટ શહેરમાં આજે કોરોનાના નવા 3 કેસ નોંધાયા, - At This Time

રાજકોટ શહેરમાં આજે કોરોનાના નવા 3 કેસ નોંધાયા,


રાજકોટ શહેરમાં આજે કોરોનાના વધુ 3 કેસ નોંધાયા હતા. જ્યારે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં આજે એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. આમ રાજકોટ જિલ્લામાં આજે કોરોનાના નવા કુલ ત્રણ કેસ નોંધાયા હતા. રાજકોટ મહાનગરપાલિકા તરફથી મળતી માહિતી મુજબ મનપા વિસ્તારમાં આજ સાંજ સુધીમાં કુલ 03 કોરોના પોઝિટિવ કેસ નોંધાયેલ છે. આ સાથે રાજકોટ શહેરના અત્યાર સુધીના કુલ સંક્રમિતોની સંખ્યા 63734 થઈ છે. હાલ સારવાર હેઠળ 24 દર્દી છે, આજે એક દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

શહેરમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો શહેરના શ્રોફ રોડ વિસ્તારમા રહેતી ૩૦ વર્ષીય મહિલાનો, જલારામ સોસાયટીમાં રહેતા ૬૫ વર્ષીય વૃદ્ધાનો અને ત્રીજો કેસ ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા ૩૮ વર્ષીય મહિલા કોરોના સંક્રમિત થયા હતા. હાલ તો આરોગ્યની ટીમ દ્રારા તેમના સંપર્કમાં આવેલા પરીવારજનોના સેમ્પલ લેવાની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon