ધંધુકા પ્રાંત અધિકારી ઠક્કર દ્વારા નગરપાલિકા થી તિરંગા રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું. - At This Time

ધંધુકા પ્રાંત અધિકારી ઠક્કર દ્વારા નગરપાલિકા થી તિરંગા રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું.


ધંધુકા નગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા તારીખ 13 થી 15 ઓગસ્ટ સુધી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની પ્રેરણાથી દેશ પ્રેમ અને રાષ્ટ્રભક્તિ ની ભાવના ઉજાગર કરતી વાત ઘર ઘર સુધી પહોંચાડવાના ભાગરૂપે તિરંગા યાત્રા નુ પ્રસ્થાન પ્રાંત શ્રી ઠક્કર સાહેબ અને બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયના મનિષા દીદી ના હસ્તે કરાવવામાં આવ્યું તેમાં નગરપાલિકા પ્રમુખ હર્ષદભાઈ ચાવડા. કારોબારી ચેરમેન ભદુભાઇ અગ્રાવત .મામલતદાર શ્રી બ્રહ્મભટ્ટ સાહેબ ચીફ ઓફિસર શ્રી મુનિયા સાહેબ શહેર તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ મહામંત્રી નગરપાલિકાના તમામ સદસ્યો ભાજપ સંગઠનના શહેર તાલુકાના હોદ્દેદારો કાર્યકરો પાલિકાના કર્મચારીઓ સ્કૂલના બાળકો શિક્ષકો અને બહેનો તમામ લોકો જોડાયા હતા આ યાત્રાના રૂટમાં આવતા સ્વામી વિવેકાનંદજી ડો.બાબાસાહેબ આંબેડકર અને સંત શ્રી પુનિત મહારાજ ની પ્રતિમાને ફૂલહાર કરીને ભારતમાતાની જય બોલાવીને યાત્રા નગરપાલિકા ખાતે સમાપન કરવામાં આવેલ

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon