કેશોદના સોંદરડા ગામે શીતળા સાતમની ઉજવણી - At This Time

કેશોદના સોંદરડા ગામે શીતળા સાતમની ઉજવણી


કેશોદ તાલુકાના સોંદરડા ગામે શીતળા માતાજીનું પ્રાચીન  મંદિર આવેલછે જ્યાં દર વર્ષે શ્રાવણ માસમાં સાતમના દિવસે ભવ્ય મેળો ભરાયછે મેળામાં કેશોદ તાલુકાના અનેક ગામના લોકો દર્શને અને મેળાનો લાભ લેવા આવતાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળેછે વર્ષોની ચાલી આવતી પરંપરા મુજબ શ્રાવણ માસની સાતમના દિવસે અહીંયાં મેળો ભરાયછે શીતળા માતાજીના મંદિરે શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ થાયછે તેવી આસ્થા સાથે અનેક શ્રદ્ધાળુઓ દર્શને આવેછે અને મેળાનો આનંદ માણેછે શીતળા માતાજીનું મંદિર અંદાજીત નેવુંથી પંચાણુ વર્ષ જૂનુંછે મંદિરની સ્થાપના થઇ ત્યારથી દર વર્ષની પરંપરા મુજબ દર વર્ષે  શ્રાવણ માસના પહેલીને બીજી સાતમ અને ચૈત્ર માસની સાતમના દિવશે  મેળો ભરાય છે 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon