સાબરકાંઠા... હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા પોસ્ટ ઓફિસના સુપ્રિટેન્ડેન્ટશ્રી સંજીવ કુમાર વર્માની અપીલ - At This Time

સાબરકાંઠા… હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા પોસ્ટ ઓફિસના સુપ્રિટેન્ડેન્ટશ્રી સંજીવ કુમાર વર્માની અપીલ


*સાબરકાંઠા જિલ્લાની પોસ્ટ ઓફિસમાં રૂ.25 માં રાષ્ટ્રધ્વજની ખરીદી કરી શકાશે*
***
દરેક નાગરિકના મનમાં રાષ્ટ્રીય પ્રેમની લાગણી જાગૃત કરવાના ઉદ્દેશ થી હર ઘર તિરંગા અભિયાનનું પ્રારંભ કરવામાં આવ્યો છે.
સાબરકાંઠા જિલ્લામાં રાષ્ટ્રધ્વજ ખરીદવા ઇચ્છતા નાગરિકો પોસ્ટ ઓફિસ ખાતેથી 25 રૂપિયામાં તિરંગા ખરીદી શકશે.વધુમાં ઇ - પોસ્ટ ઓફિસ પોર્ટલ દ્વારા રાષ્ટ્રીય ધ્વજ ઘરે પણ મંગાવી શકાશે.
સાબરકાંઠા પોસ્ટ ઓફિસના સુપ્રિટેન્ડેન્ટશ્રી સંજીવ કુમાર વર્માના જણાવે છે કે હર ઘર તિરંગા અભિયાનમાં પોસ્ટ વિભાગ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે. આ અભિયાન હેઠળ તમામ પોસ્ટ ઓફિસમાં તિરંગા ધ્વજ વેચાણ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. પોસ્ટ ઓફિસમાં ઉપલબ્ધ ધ્વજ 20 બાય 30 ઇંચ છે. જે જાહેર જનતા રૂપિયા 25 માં ખરીદી શકે છે અને પોતાના ઘર ઉપર લગાવી શકે છે. વધુમાં જણાવ્યું હતું કે પોસ્ટ વિભાગ વિવિધ સ્કૂલો, કોલેજો, હોસ્પિટલ, પોલીસ લાઈન, સૈન્ય દફ્તર , કોર્ટ તેમજ સરકારી અને ખાનગી ક્ષેત્રના કાર્યાલય અને વાણિજ્યક સંસ્થાઓ સાથે સંપર્ક કરી હર ધર તિરંગા અભિયાનમાં જનસહભાગીતાની ખાતરી કરશે.તેઓએ પોસ્ટલ કર્મચારીઓ તેમના પરિવારજનો અને આસપાસના લોકોને પણ આ અભિયાનમાં જોડાવા અને તિરંગો ફરકાવવા માટે જણાવ્યું હતું.
****

રિપોર્ટર અલ્પેશ પટેલ. વડાલી


9409160651
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.