પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રી પર ભક્તિ સમુદ્ર
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રી પર ભક્તિ સમુદ્ર
------
સંધ્યા આરતી સુધીમાં 60,000 થી વધુ શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા
------
મહાશિવરાત્રીના પર્વે દિવસ દરમિયાન રેકોર્ડ બ્રેક 104 સોમેશ્વર મહાપૂજા કરવામાં આવી
------
આજના દિવસમાં સોમનાથ મંદિર પર 69 ધ્વજારોહણ કરવામાં આવ્યું
------
1973 રુદ્રાભિષેક પઠન કરવામાં આવ્યું, સાથે 67 પાઠાત્મક લઘુરુદ્ર, 9 પાઠાત્મક મહારુદ્ર સંપન્ન થયા
------
77 મહાપૂજા સંકલ્પ, 67 મહાદૂધ અભિષેક કરી ભાવિકોએ સોમનાથ મહાદેવની પૂજા કરી
સોમનાથ - મહાશિવરાત્રી, 26 ફેબ્રુઆરી 2025, બુધવાર
દ્વાદશ જ્યોતિર્લિંગોમાં સર્વપ્રથમ દેવોના દેવ મહાદેવ સોમનાથ દાદાને શીશ નમાવી શિવરાત્રી પર મહાદેવની અનુકંપા પ્રાપ્ત કરવા લાખો શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના ચરણોમાં પ્રવાસ કરી રહ્યા છે. ત્યારે આજે સવારે 4:00 વાગ્યાથી સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યું હતું. જે દરમિયાન સાંજે 6:00 વાગ્યા સુધીમાં 60,000 થી વધુ ભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી.
આજે વહેલી સવારે શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી શ્રીપી.કે.લહેરી સાહેબ દ્વારા પાલખી પૂજન અને ધ્વજા પૂજા કરી મહાશિવરાત્રી મહોત્સવ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મહાશિવરાત્રી પર્વે રાજ્ય સરકારના ગૃહ મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીએ પણ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી સોમેશ્વર મહાપૂજા કરી કરી ધન્ય થયા હતા. આ મહોત્સવમાં દેશ વિદેશના શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના દર્શને અને પૂજા અર્ચના કરી પુણ્ય અર્જિત કરવા સોમનાથ પહોંચ્યા હતા. આજના વિશેષ અવસર પર પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા અને સોમનાથ મંદિર પર ધ્વજારોહણ કરી ધન્ય થયા હતા.
આજે સોમનાથ ટ્રસ્ટ દ્વારા 3500 થી વધુ ભક્તોને પરિવાર સહિત મારુતિ બીચ ખાતે પંચમહાભૂતનો અનુભવ કરાવતી પાર્થેશ્વર મહાપૂજા કરાવવામાં આવી હતી. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના લાઈફ સ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટના વિઝન સાથે શ્રી સોમનાથ ટ્રસ્ટ ઇકો ફ્રેન્ડલી અને ઝીરો વેસ્ટ પૂજા તરીકે પાર્થિવેશ્વર શિવલિંગ પૂજા શ્રદ્ધાળુઓને કરાવે છે. માટીનું બનેલું શિવલિંગ સનાતન ધર્મમાં પ્રકૃતિ પ્રેમ અને સ્વચ્છતા તેમજ ત્યાગનું પ્રતિક હોય વેદોક્ત મંત્રોચાર સાથે પૂજન તો કરાવવામાં આવ્યું જ સાથે સાથે શિવજીને પ્રિય આ શ્લોકોનો ભાવાનુંવાદ કરીને દર્શનાર્થીઓને પૂજા પદ્ધતિની તલસ્પર્શી માહિતી પણ આપવામાં આવી હતી. આ પૂજા નો ભાગ બની હજારો પરિવારો ધન્ય બન્યા હતા.
શ્રી સોમનાથ મંદિરમાં સોમનાથ મહાદેવના પ્રતિક રૂપને પાલખીમાં વિરાજમાન કરી ભવ્ય પાલખીયાત્રા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બમ બમ ભોલે હર હર મહાદેવના નાદ સાથે હજારો શ્રદ્ધાળુ જોડાયા હતા.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક માસિક શિવરાત્રીની પરંપરા અનુસાર શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી સચિવ શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વારા શ્રી સોમનાથ યજ્ઞશાળામાં હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો. ભારત દેશના શાંતિ સુખાકારી અને વિકાસની પ્રાર્થના સાથે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક માસની કૃષ્ણ ત્રયોદશી પર આ યજ્ઞ કરવામાં આવે છે જે વિશેષ ઉલ્લાસ સાથે મહાશિવરાત્રીના પાવન પર્વે પણ કરવામાં આવ્યો હતો.
આજના દિવસમાં સોમનાથ મંદિરમાં 104 સોમેશ્વર મહાપૂજા કરવામાં આવી હતી. સાથે સાથે શ્રી સોમનાથ મહાદેવને 69 ધ્વજાશિખર પર આરોહિત કરવામાં આવી હતી.
શિવજીને અત્યંત પ્રિય રુદ્રાષ્ટાધ્યાય એટલે કે રુદ્રાભિષેકના 1973 પાઠ કરવામાં આવ્યા હતા. સાથે સાથે આજના દિવસ દરમિયાન કુલ પાઠાત્મક 67 લઘુરુદ્ર યજ્ઞ, અને 9 પાઠાત્મક મહારુદ્ર પણ સંપન્ન થયા હતા. આ સાથે 77 મહાપૂજા સંકલ્પ, 67 મહાદૂધ અભિષેક કરી ભાવિકોએ સોમનાથ મહાદેવની પૂજા કરી
આ પ્રકારના તમામ સમાચાર માટેે
