“BAPS મંદિર” અને “સુખનું સરનામું પરિવાર-ગઢડા” ના સંયુક્ત ઉપક્રમે ગઢપુર શહેર સ્વચ્છતા અભિયાનનું ભવ્ય આયોજન થશે - At This Time

“BAPS મંદિર” અને “સુખનું સરનામું પરિવાર-ગઢડા” ના સંયુક્ત ઉપક્રમે ગઢપુર શહેર સ્વચ્છતા અભિયાનનું ભવ્ય આયોજન થશે


તારીખ : ૨૧/૦૯/૨૦૨૪ના રોજ યોજાનાર આ સ્વચ્છતા અભિયાનમાં ગઢડા શહેરમાં કાર્યરત નવ જેટલી સંસ્થાઓ અને મંડળો સહિત આશરે ૧૦૦૦ કાર્યકર્તાઓ જોડાશે.

છેલ્લા ત્રણેક મહિનાથી ગઢડા શહેરમાં કાર્યરત "BAPS મંદિર અને સુખનું સરનામું પરિવાર" દ્વારા વિવિધ મોટીવેશનલ સેમિનાર, સત્સંગ સપ્તાહ અને સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે તારીખ : ૨૧/૦૯/૨૦૨૪, ને શનિવારના રોજ ગઢડા નગરના BAPS મંદિરથી મોટા પુલ અને હોળાયા રોડ, લક્ષ્મીવાડીથી ઉગેમેડી રોડ ફાયર સ્ટેશન અને રાધાવવ સુધી, સામાં કાંઠે કોર્ટ થી બોટાદ રોડ ગેટ, વિશ્વાસ ગ્રુપ સોસાયટી થી નિગમ ગોડાઉન સુધીના જાહેર માર્ગો અને નીલકંઠ મહાદેવ મંદિર, સમાં કાંઠે સ્મશાન, રેફરલ હોસ્પિટલ, ભડલી ગેટ પાદર અને સ્મશાન, એસ.ટી. બસ સ્ટેન્ડ જેવા જાહેર સ્થળોની સફાય કરીને ખરેખર સ્વચ્છતાના અભિગમને સાર્થક કરતું સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવશે.
જેમાં ગઢડા શહેરના
BAPS સત્સંગ મંડળ, શ્રી એમ.એમ. હાઇસ્કુલ અને એન.એસ.એસ. યુનિટ, ભક્તરાજ દાદા ખાચર કોલેજ અને એન.એસ.એસ. યુનિટ, કુમરપ્પાઈમહા વિદ્યાલય અને એન.એસ.એસ.યુનિટ, પતંજલિ યોગ સમિતિ તથા ડાયમંડ એસોસિએશન, વ્યાપારી મંડળ, સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ, સીતારામ યુવક મંડળ તથા આહીર યુવક મંડળ અને બ્રાન્ચ.૧ ભડલી ગેટ, બ્રાન્ચ શાળા નં.૪ તથા બ્રાન્ચ શાળા નં.૫ મળીને નવ જેટલા મંડળો અને સંથાઓ જોડાશે.
સાથે જે તે વિસ્તારોમાંથી સ્વૈચ્છિક શ્રમદાન આપનાર નાગરિકો મળીને આશરે ૧૦૦૦ જેટલા સ્વયં સેવકો "દરેક ઘર સ્વચ્છ - દુકાન સ્વચ્છ અને તેની પાસેનો રસ્તો સ્વચ્છ રાખીએ." એવા સૂત્રને લઈને સ્વચ્છતા અભિયાનમાં જોડાશે. જેમાં દરેક વિસ્તારમાં વસતા તમામ નાગરિકોને પણ આ અભિયાનમાં જોડાવા જાહેર હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.
આ સાથે ગઢડા નગરના સંતો, નામાંકીત મહાનુભાવો આગેવનો પણ પ્રેરક હાજરી આપી અભિયાનને સફળ બનાવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.