કચ્છના અંજાર તાલુકાના સીઘેશ્વરપાર્ક સોસાયટી મેઘપર કુંભારડી માં ગણપતી બાપા ની સ્થાપના કરવામાં આવી - At This Time

કચ્છના અંજાર તાલુકાના સીઘેશ્વરપાર્ક સોસાયટી મેઘપર કુંભારડી માં ગણપતી બાપા ની સ્થાપના કરવામાં આવી


કચ્છના અંજાર તાલુકાના શ્રી સિધ્ધેશ્વરપાર્ક સોસાયટી મેઘપર કુંભારડી તા.અંજાર - ગણેશ ચતુર્થી પ્રસંગે શ્રી વિઘ્નહર્તા ગણેશજી ની સ્થાપના કરાઈ તા.૦૭/૦૯/૨૦૨૪ના શુભ દિને વિઘ્નહર્તા ગણેશજી ની પાંચ દિવસની સ્થાપના શ્રી સિધ્ધેશ્વરપાર્ક સોસાયટીમાં શાસ્ત્રોક્ત વિધિ –પૂજન સાથે કરવામાં આવી.જેમાં રાત્રે ખોડિયાર માતામાં ભજન મંડળ દ્રારા ભજન,કીર્તન,રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું.
ઉપરોક્ત ધાર્મિક પ્રસંગમાં સોસાયટી પ્રમુખ શ્રી રાજેશભાઈ જે.આહીર પરિવાર દ્રારા પૂજન,શાસ્ત્રોક્ત વિધિ સાથે ગણેશ સ્થાપના કરવામાં આવી.કમિટી સભ્યો શ્રી મનોજભાઈ સરોવા,વિક્રમસિંહ જાડેજા,નિતેશભાઈ વ્યાસ,મુકેશભાઈ મગનાણી,વિરમભાઈ આહીર,લક્ષ્મીદાસ ભાનુશાલી,સેવાભાવી શ્રી નરસિંહભાઈ ખારવા તેમજ મહિલા મંડળના સભ્યો રતનબેન આહીર,વિરાબેન રાજપૂત,સારીકાબેન ભાવસાર,પ્રિયાબેન સોલંકી,પલ્લવીબેન વાઘેલા,મંજુબેન આહીર,અપેક્ષાબેન રાસ્તે તેમજ સોસાયટીના ભાઈઓ બહેનોએ બહોળી સંખ્યામાં ધાર્મિક કાર્યમાં સહયોગ પૂરો પાડ્યો હતો. એવી યાદી શ્રી નારણભાઈ જે.લોચાએ જણાવી હતી.


7990705741
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.