કેશોદ જલારામ મંદિરે જલારામ બાપાની ૨૨૩મી જન્મજયંતી ઉજવવામાં આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/p4zo1qkooz7jq3kf/" left="-10"]

કેશોદ જલારામ મંદિરે જલારામ બાપાની ૨૨૩મી જન્મજયંતી ઉજવવામાં આવી


કેશોદના જલારામ મંદિરે છપ્પન ભોગ અન્નકુટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ભાવિકો ભક્તોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો કેશોદના જલારામ મંદિર ખાતે દર વર્ષે જલારામ જયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવેછે જેમાં બાઈક રેલી ડીજેની સંગાથે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થાયછે જલારામ મંદિરે શગણાર મંદિરમાં શૃંગાર છપ્પન ભોગ અન્નકુટ દર્શન મહા આરતી ભોજન પ્રસાદી સહીતનું આયોજન કરવામાં આવેછે તાજેતરમાં મોરબીમાં દુઃખદ દુર્ઘટના બનતા 140 થઈ વધુ લોકોના મોત થયા જેથી રાજ્યભરમાં શોકની લાગણી જોવા મળી રહીછે ત્યારે કેશોદના જલારામ મંદિરે જલારામ બાપાની 223મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે બાઈક રેલી તથા શોભાયાત્રા રદ કરવામાં આવી હતી છપ્પન ભોગ અન્નકુટ દર્શન તથા ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું કેશોદના જલારામ મંદિરે જલારામ બાપાને છપ્પન ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવતાં ભાવિકો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો મોરબી ખાતે બનેલી દુર્ઘટના બાદ કેશોદ જલારામ મંદિર ખાતે જાહેર કાર્યક્રમો રદ્ કરી શોકાજંલી આપવામાં આવી હતી કેશોદ જલારામ મંદિર ખાતે સાંજે મહાઆરતી બાદ સમુહ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું અને શહેરના આમંત્રિત મહેમાનો તથા ભાવીક ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]