સૌરાષ્ટ્રના આહિર આગેવાન અને ઉપલેટાના પુવૅ નગરપતી જેઠાભાઇ ડેર આગામી વિધાનસભાની ચુટણી ધોરાજી-ઉપલેટા બેઠક ઉપરથી લડશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/p3uxjpgoutj7zygt/" left="-10"]

સૌરાષ્ટ્રના આહિર આગેવાન અને ઉપલેટાના પુવૅ નગરપતી જેઠાભાઇ ડેર આગામી વિધાનસભાની ચુટણી ધોરાજી-ઉપલેટા બેઠક ઉપરથી લડશે


ધોરાજી-ઉપલેટા વિધાનસભાની ચુટણી આ વખતે પણ જાણે ખુબ જ રસપ્રદ બની રહેશે

(આશિષ લાલકીયા દ્વારા)
ઉપલેટા તા. ૦૯ ઓગસ્ટ ૨૦૨૨, વિધાનસભાની ચુટણીઓ હવે ખુબજ નજીકના સમયમાં આવી રહી છે ત્યારે રાજકોટ જીલ્લામાં આવેલ ધોરાજી-ઉપલેટા વિધાનસભાની ચુટણી આ વખતે પણ જાણે ખુબ જ રસપ્રદ બની રહેશે કારણ કે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપરાંત સૌરાષ્ટ્રના આહિર આગેવાન અને ઉપલેટા પુવૅ નગ૨પતી એવા જેઠાભાઇ ડેર પણ આ બેઠક ઉપરથી ચુંટણી લડવાનું એક યાદીમાં સ્થાનીક પત્રકારોને જણાવેલ છે.

આ વખતની ચુંટણી રસપ્રદ એટલા માટે થશે કારણ કે આ બેઠક ઉપર આહિર સમાજના ૧૯ થી ૨૦ જેટલા ગામો આવે છે. આ ઉપરાંત સ્થાનીક ઉપલેટામાં પણ આહિર સમાજના મત નોંધપાત્ર છે. જેઠાભાઇ એક લડાયક આગેવાન છે તેથી આહિર સમાજમાં અને ખાસ કરી યુવાનોમાં તેમનું ખુબજ માન-સન્માન છે તેમજ અન્ય નાની-મોટી જ્ઞાતિઓમાં પણ સારૂ એવું વર્ચસ્વ ધરાવે છે. જેઠાભાઇ ડેર અગાઉ બે વખત નગરપાલીકામાં પ્રમુખ તરીકે ચુંટાયા છે. એક વખત તેમના ધર્મપત્ની જીવતીબેન અને એક વખત તેમના લધુ બંધુ બાબુભાઇ ડેરના પત્ની નાથીબેન પણ પ્રમુખ તરીકે ચુંટાયા છે. આમ તેમના પરિવાર માંથી ચાર-ચાર વખત પ્રમુખ પદ સંભાળ્યુ છે ત્યારે આ બાબતે જેઠાભાઈ ડેર દ્વારા અત્યારથી જ તૈયારી અને લોક સંપર્ક શરૂ કરી દીધેલ છે.

તસ્વીર/અહેવાલ:- આશિષ લાલકીયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]