બાલાસિનોર સરપંચ એસોસિયન ફરી થયું સક્રિય ભાજપના ઉમેદવારને જીતાડવા કર્યો સંકલ્પ - At This Time

બાલાસિનોર સરપંચ એસોસિયન ફરી થયું સક્રિય ભાજપના ઉમેદવારને જીતાડવા કર્યો સંકલ્પ


સરપંચો ની બેઠક મા પડતર પ્રશ્નોનું નિરાકરણ આવતાં સરપંચો થયા સક્રિય
સરપંચ એસોસિએશનના પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ સક્રિય થઈને કામગીરી કરવા માટે નિર્ણય લેવાયો

વિધાનસભાની ચૂંટણી આવતાની સાથે લોકો દ્વારા પક્ષમાં જોડાવાનુ અને નિકળવાનું પ્રક્રિયા ચાલુ થતી હોય છે. ત્યારે બાલાસિનોર તાલુકામાં કંઇક અલગ જ બનાવ જોવા મળ્યો હતો. જેમાં તાલુકાના આશરે 44 ગામોના સરપંચોએ અનેક પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતુ હોવાનું કારણ અાગળ ધરીને નારાજગી દર્શાવીને ચૂંટણી પ્રક્રિયાની કામગીરી બાબતે નિષ્ક્રિય રહેવા અને કોઇ પક્ષનું કામ ન કરવાનું નક્કી કર્યું હતું.

આ બાબતે 30 થી 35 ગ્રામ ના સરપંચોની મિટિંગ ભાજપના ઉમેદવાર માનસિંહ ચૌહાણ ના નિવાસ્થાને મીટીંગ યોજાઇ હતી અને તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવાની હૈયા ધારણ આપતા તમામ સરપંચો એકે અવાજે ખુશ થઈને સક્રિય થઈ ગયા હતા અને માનસિંહ ચૌહાણને વિજય બનાવવા માટે તમામ સરપંચો સંકલ્પ કર્યો હતો અને માનસીહ ચૌહાણને વિજય બનાવીને
ગોધીનગર મોકલવા માટે નિશ્ચય કર્યો છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon