શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘા એવં ચોકલેટનો શણગાર એવં અન્નકૂટ ધરાવવામાં આવ્યો તેમજ ભવ્ય ષોડશોપચાર પૂજન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/owzbqpw15sg3owos/" left="-10"]

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘા એવં ચોકલેટનો શણગાર એવં અન્નકૂટ ધરાવવામાં આવ્યો તેમજ ભવ્ય ષોડશોપચાર પૂજન


શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિતે તા.06-08-2022ને શનિવારના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની શુભ પ્રેરણાથી એવં કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય ચોકલેટ વાઘાનો શણગાર ધરાવવામાં આવેલ તથા સવારે 5:30 કલાકે મંગળા આરતી પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)દ્વારા તથા 7 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા એવં બપોરે ૧૧:૧૫ કલાકે ચોકલેટ અન્નકૂટ આરતી કરવામાં આવેલ. શનિવાર નિમિતે સાંજે ૫:૩૦ કલાકે દાદાનું ભવ્ય ષોડશોપચાર પૂજન-અભિષેક-મહાઆરતી પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)દ્વારા કરવામાં આવેલ. ભક્તોએ ઓનલાઈન તથા પ્રત્યક્ષ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. અને પવિત્ર શ્રાવણ માસ નિમિતે તા.૨૯-0૭-૨૦૨૨ને શુક્રવારના રોજ થી તા.૨૭-0૮-૨૦૨૨ સુધી વિશ્વશાંતિ હનુમાન ચાલીસા અને હનુમંત મંત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં પવિત્ર બ્રાહ્મણો દ્વારા મંત્રો- યજ્ઞ-પૂજા પાઠ સવારે ૯ થી ૧૨ અને સાંજે ૩ થી ૬ દરમિયાન કરવામાં આવે છે. તેમજ સંપૂર્ણ પવિત્ર શ્રાવણ માસ નિમિતે દિવ્ય સત્સંગનું સાંજે ૫:૩૦ થી ૬:૩૦ કલાક દરમિયાન આયોજન કરવામાં આવેલ છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]