આજે ગાંધી જયંતી નિમિત્તે શિહોર શહેર કોંગ્રેસ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાઈ ગયા - At This Time

આજે ગાંધી જયંતી નિમિત્તે શિહોર શહેર કોંગ્રેસ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાઈ ગયા


આજે સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાષ્ટ્પિતા મહાત્મા ગાંધીજી તથા પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતી નિમિત્તે સિહોર નગરપાલિકા પરિસર ખાતે મહાત્મા ગાંધીજી વંદના તથા શાસ્ત્રીજીને પુષ્પહાર પહેરાવીને તેઓની જન્મજયંતિ ઉજવવામાં આવી હતી તથા સિહોર ખાદી ઉદ્યોગ કેન્દ્ર ખાતે કોંગ્રેસના આગેવાનો દ્વારા ખાદીના વસ્ત્રોની ખરીદી કરવામાં આવી હતી ત્યારબાદ સિહોરના વડલાચોકથી સિહોરની મુખ્યબજારમાં વેપારીઓ તથા રાહદારીઓને રાહુલ ગાંધીના આઠ વચનોની પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે સિહોર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખ ધીરુભાઈ ચૌહાણ,નગરપાલિકા વિપક્ષ નેતા કિરણભાઈ ઘેલડા, ન.પા સદસ્ય કેતનભાઈ જાની, મુકેશભાઈ જાની, કરીમભાઈ સરવૈયા, કિશનભાઈ મહેતા,વહીદાબેન પઢીયાર તથા નૌશાદ કુરેશી,પરેશભાઈ શુક્લ,યુવરાજ રાવ,રાજુભાઈ બુદ્ધભટ્ટી, રહીમભાઈ મહેતર,પી.ટી.સોલંકી,પરેશ બાજક,દર્શક ગોરડીયા,વિપુલભાઈ ત્રિવેદી,અશોક બુદ્ધભટ્ટી, પાર્થ ત્રિવેદી,ધવલ પલાણીયા,પાર્થ.સી ત્રિવેદી વગેરે ઉપસ્થિત રહ્યા હતા... રિપોર્ટ અશોકભાઈઢીલાં શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon