*પત્રકાર એકતા પરિષદ ગુજરાત ના જુનાગઢ જિલ્લા સમિતી પ્રમુખ શ્રી વલ્લભભાઈ પરમાર દ્વારા વંથલી તાલુકા સમિતિના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી... - At This Time

*પત્રકાર એકતા પરિષદ ગુજરાત ના જુનાગઢ જિલ્લા સમિતી પ્રમુખ શ્રી વલ્લભભાઈ પરમાર દ્વારા વંથલી તાલુકા સમિતિના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી…


પત્રકાર એકતા પરિષદ ગુજરાતના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ અને જુનાગઢ જિલ્લા પ્રભારી શ્રી ગીરવાનસિંહ સરવૈયા ની સીધી સૂચનાથી પત્રકાર એકતા પરિષદના જુનાગઢ જીલ્લા સમિતિના પ્રમુખ શ્રી વલ્લભભાઈ પરમાર દ્વારા આજ રોજ તા. 27-08-2022 ને શનિવારે વંથલી તાલુકાના પત્રકારોની એક મીટીંગ બોલાવવામાં આવેલ હતી. આ મિટિંગમાં સંગઠનની કાર્ય પદ્ધતી અને સંગઠન દ્વારા પત્રકારોને હિત માટે જે કાર્યો થવાના છે તે અંગે અવગત કરી ચર્ચા વિચારણા કરેલ હતી અને વંથલી તાલુકાના હોદ્દેદારોની સર્વાનુંમતે નિમણૂક આપવામાં આવી હતી.
વંથલી તાલુકા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ તરીકે શ્રી ધનેશભાઈ જી. રાચ્છ , ઉપ પ્રમુખ તરીકે શ્રી રહીમભાઈ કે. કારવાત , મહામંત્રી તરીકે શ્રી મોઈન એ. ડામર , મંત્રી તરીકે શ્રી પુનીતભાઇ ટીલવા અને સહ મંત્રી તરીકે શ્રી અનિલભાઈ રવૈયા તેમજ અન્ય પત્રકારોની તાલુકા કારોબારી સદસ્ય તરીકે જુનાગઢ જીલ્લા પ્રમુખ શ્રી વલ્લભભાઈ પરમાર દ્વારા નિમણૂંક આપવામા આવેલ હતી.
આજથી નિમણૂંક પામેલા વંથલી તાલુકા સમિતિનાં તમામ હોદેદારોને પ્રદેશ મહામંત્રી શ્રી મુકેશભાઈ સખિયા , ઝોન 2 કો ઓર્ડીનેટર શ્રી વિનોદભાઈ ચંદારાણા તેમજ જૂનાગઢ જીલ્લા મહામંત્રી શ્રી હિમાંશું મહેતા સહિત જીલ્લા ટીમે આવકાર સાથે અભિનંદન પાઠવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon