ડભોઇ નગર પાસે નવા ત્રણ ઓવર બ્રિજ મંજૂર પરંતુ ગોકળગતિએ કામગીરી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/on0tswskxfqgenxc/" left="-10"]

ડભોઇ નગર પાસે નવા ત્રણ ઓવર બ્રિજ મંજૂર પરંતુ ગોકળગતિએ કામગીરી


રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ

સમગ્ર ભારત દેશ અને ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા લોકોની સુખાકારી અને સુગમતા અર્થે તેમજ સમયનો બચાવ થાય અને ટ્રાફિકનું ભારણ ઘટે તે માટે ફાટક મુક્ત અભિયાનની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં રેલવે લાઈન ઉપર ત્રણ જેટલા ઓવરબ્રિજ મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બ્રિજનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. પરંતુ ડભોઇથી ચાંદોદ જવાના માર્ગ ઉપરના બ્રિજનું કામ કોઈક કારણોસર છેલ્લાં થોડાં સમયથી આ બ્રિજની કામગીરી અટકી છે.

મધ્ય ગુજરાત વીજ કંપનીને કારણે કામ બંધ હાલતમાં

હાલમાં ડભોઈનગરમાં ત્રણ જેટલા બ્રિજ મંજૂર કરવામાં આવે છે જેમાં ડભોઇ થી ચાંદોદ જવાના માર્ગ ઉપર મધ્ય ગુજરાત વીજ કંપનીના વાયરો - થાંભલા હટાવવા માટેની કામગીરી કરવાની થાય છે. જેમાં ખાસ કરીને મંડાળા તરફ જતાં એગ્રીકલ્ચર ફીડરના વાયરો - કેબલો હટાવવાના થાય છે. પરંતુ મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓની બેદરકારી - નિષ્ક્રિયતાને કારણે આ ઓવર બ્રિજનું કામ અટકી પડેલ છે .આ બાબતની રજૂઆતને લઈને આર.એન.બી વિભાગના અધિકારીઓ દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ કોઈપણ જાતની કાર્યવાહી મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા કરવામાં આવી નથી. જેને કારણે બ્રિજનું કામ હાલ પૂરતું બંધ કરવામાં આવ્યું હતું. જેથી રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

ડભોઇના ધારાસભ્ય શૈલેશભાઈ મેહેતાની રજૂઆત

તંત્રની આવી નિષ્ક્રિયતાને કારણે આ સમગ્ર કામગીરી તેમજ વિકાસના કામો અટકી ન જાય તે માટે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ પણ મધ્ય ગુજરાત વીજ કંપનીના ઉચ્ચ અધિકારીઓને ટેલીફોનિક રજૂઆત કરી તાત્કાલિક કામગીરી કરવા માટે આદેશો પણ આપ્યા હતા. પરંતુ આજદિન સુધી મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ આંખ આડા કાન કરતા હોય અને વિકાસના કામમાં અડચણ ઊભું કરતા હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ જાણવા મળતી માહિતી મુજબ હવે ડભોઇ - દભૉવતિના ધારાસભ્ય શૈલેશભાઈ મહેતાએ આ અંગે સરકારમાં રજૂઆત કરવા માટે મન મક્કમ બનાવી દીધું છે. ટૂંક જ સમયમાં જો આ કામ પુનઃ શરૂ ન થાય તો તેઓ પણ સરકારમાં આ અંગે ધારદાર રજૂઆત પણ કરશે.

બ્રિજનું કામ ખોડંબે પડતા રાહદારીઓને પારાવાર મુશ્કેલીઓ

ડભોઇ થી યાત્રાધામ ચાંદોદ તરફ જવાના માર્ગ ઉપર રોજિંદા હજારો સંખ્યામાં રાહદારીઓ પોતાનાં વાહનો સાથે અવરજવર કરતા હોય છે અને તેઓને આ સત્તાધીશ અધિકારીઓની ગૂચના કારણે રાહદારીઓને તેનો ભોગ બનવું પડે છે. એટલું જ નહીં પરંતુ આ રોડ ઉપર અકસ્માતના પણ બનાવો સતત બનતાં હોય છે. માટે મધ્ય ગુજરાત વીજ કંપની અને આરએનબી વિભાગે તાત્કાલિક ધોરણે આ કામને પૂર્ણ કરવું જોઈએ અને જન સુખાકારી માટેનાં કામોને તત્કાળ ધોરણે પ્રાધાન્ય આપવું જોઈએ તેવી લોકમાં ઉભી થવા પામી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]