ડો ભરતભાઈ બારડ ની 14 મી પુણ્યતિથિ નિમિતે સુત્રાપાડા ખાતે યોજાનાર વિનામુલ્યે નેત્રયજ્ઞ કેમ્પ - At This Time

ડો ભરતભાઈ બારડ ની 14 મી પુણ્યતિથિ નિમિતે સુત્રાપાડા ખાતે યોજાનાર વિનામુલ્યે નેત્રયજ્ઞ કેમ્પ


ડો ભરતભાઈ બારડ જેઓ પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડના સુપુત્ર જેઓનું મેડિકલ ના અભ્યાસ વખતે ૧૩ વર્ષ પહેલા ગોવા મુકામે આકસ્મિક અવસાન થયેલ. તેઓની સ્મરાંજલી રૂપે તેઓના પરિવાર દ્વારા દર વર્ષે વિવિધ સેવાકીય પ્રવુર્તિઓ યોજવામાં આવે છે જેના ભાગરૂપે તા ૧૯/૦૭/૨૦૨૨ને મંગલવારે ડો ભરતભાઇ બારડની ૧૪મી પુણ્યતિથિ નિમિતે વિનામુલ્યે નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં, વેરાવળના આંખના નિષ્ણાત ડોક્ટર થાનકી સાહેબ દ્વારા આંખ ના રોગોનું નિદાન તેમજ સારવાર કરી પોતાની સારવાર આપશે. ઉપરાંત મોતિયા ના દર્દીઓને જરૂરિયાત મુજબ મોતિયાના ઓપરેસન વિના મૂલ્યે કરી આપવામાં આવશે તથા વિના મૂલ્યે નેત્રમણિ બેસાડી આપવામાં આવશે. જેમાં દર્દીઓને જમવાનું, ચા પાણી નાસ્તો વગેરે વિનામુલ્યે આપવામાં આવશે. દર્દીઓને વેરાવળ આવવા તથા જવા માટે વાહનની વ્યવસ્થા ડો ભરત બારડ એજ્યુકેસન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, સુત્રાપાડા દ્વારા કરવામાં આવશે. તો સુત્રાપાડા તેમજ આજુબાજુ ની જનતાને આ કેમ્પનો વધુ માં વધુ લાભ લેવા ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઇ બારડે અપીલ કરેલ છે.
ડો ભરતભાઈ બારડની શ્રદ્ધાંજલી રૂપે યોજવામાં આવેલ નેત્રયજ્ઞ કેમ્પ તા ૧૯/૦૭/૨૦૨૨ને મંગળવાર ના રોજ સવારે ૮:૩૦ થી ૧૨ કલાક સુધી ડો ભરત બારડ શૈક્ષણિક સંકૂલ, કોલેજ વિભાગ, સુત્રાપાડા મુકામે યોજવામાં આવસે જેમાં નામ નોંધાવા માટે કમલેશ ભાઈ મકવાણા મોબાઈલ નંબર - ૯૯૨૪૯૭૦૪૪૦ નો સંપર્ક કરવો

રીપોર્ટ દિપક જોશી પ્રાચી ગીર સોમનાથ..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon