કોવીડ-૧૯ અંગેની માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ
હાલમાં દેશ તથા રાજ્ય ખાતે કોરોનાનાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહેલ છે. આથી જાહેર જનતા તથા તમામ સંબંધિતોને સરકારશ્રી દ્વારા પ્રકાશિત કોવીડ-૧૯ અંગેની માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવાનો અનુરોધ કરવામાં આવે છે. સર તખ્તસિંહજી હેસ્પિટલ, ભાવનગર દ્વાસ જાહેર જનતાને SMS એટલે કે Social Distancing, Mask અને Sanitizer નો ઉપયોગ કરવા અંગેની ખાસ અપીલ કરવામાં આવેલ છે.
વધુમાં જણાવવાનું કે, ડાયાબીટીસ, કેન્સર, બ્લડ પ્રેશરની બિમારી ધરાવતા લોકો, સિનિયર સીટીઝન, નાના બાળકો, સગર્ભા બહેનોએ વિશેષ કાળજી રાખવાની રહેશે તથા જે લોકો દ્વારા કોવીડ વેકસીન લીધેલ ન હોય તે તમામને વેકસીનનાં ડોઝ લઇ લેવા અધિક્ષકશ્રી, સર ટી. હોસ્પિટલની યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ મૂળશંકર જાળેલા ભાવનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]