સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ્રજાસત્તાક દિન એવં શિક્ષાપત્રી જયંતિ નિમિતે - At This Time

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ્રજાસત્તાક દિન એવં શિક્ષાપત્રી જયંતિ નિમિતે


શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.૨૬ જાન્યુઆરી ૨૦૨૩ને ગુરુવારના રોજ કષ્ટભંજનદેવ દાદાને તિરંગા વાઘાનો દિવ્ય શણગાર ધરાવી દાદાના સિંહાસનને કેસરી-સફેદ-લીલા તિરંગાનો શણગાર કરી સવારે ૫:૪૫ કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ. તેમજ વડતાલ ગાદી પીઠાધિપતિ ધ.ધુ.1008 આચાર્ય મહારાજ રાકેશપ્રસાદજી શ્રી કષ્ટભંજનદેવના દર્શને સાળંગપુરધામ પધાર્યા હતા દાદાના શણગાર-આરતી-દર્શનનો અમૂલ્ય લ્હાવો હજારો ભકતોએ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધેલ.

રિપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon