દુધઈ કારડીયા રાજપૂત સમાજ નાં અગ્રણી જીલુભાઈ જાદવ નું દુઃખદ અવસાન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/o2xqyvjcelt7viol/" left="-10"]

દુધઈ કારડીયા રાજપૂત સમાજ નાં અગ્રણી જીલુભાઈ જાદવ નું દુઃખદ અવસાન


*કારડીયા રાજપૂત સમાજ નાં અગ્રણી જીલુભાઈ જાદવ નું અવસાન*

મુળી ના દુધઈ ગામના કારડીયા રાજપૂત સમાજ નાં આગેવાન એવાં જીલુભાઈ જેમલભા જાદવ ઉ.વ.૬૫ નું દુઃખદ અવસાન થતાં સમગ્ર સમાજ અને ગામોમાં શોક નું મોજું ફરી વળ્યું હતું તેઓ સામાજિક કાર્યોમાં કાયમ અગ્રેસર રહેતાં હતાં કાયમ હસમુખા સ્વભાવના કારણે યુવાનો અને વડીલોમા અનોખી લોકચાહના ધરાવતાં હતાં ધાર્મિક કાર્યો માં નિસ્વાર્થ ભાવે સતત પ્રયત્નશીલ રહી સેવાઓ આપતાં હતાં અને પગપાળા યાત્રા સંઘો ની તેઓ આગેવાની હેઠળ અનેક ધાર્મિક સ્થળોએ દર્શન માટે સંઘ નાં અગ્રેસર ભુમિકા ભજવતાં હતાં કાયમ શોકમય વાતાવરણ ને હળવું ફુલ બનાવવા માં માહેર અને નાની વાતો ને ટાંકી ધર્મ પ્રચાર સાથે હાસ્ય પીરસનાર એવાં જાદવ હસતાં હસતાં વિદાય લીધી અને સ્નેહી મિત્રો સ્વજનો ને શોક માં મુકી દિધા છે
આજે શનિવારે તેઓ ની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા બહોળું મિત્ર વર્તુળ ધરાવતા હોય તેઓ નાં પુત્ર જોરૂભાઈ જાદવ ને આઘાત સહન કરવાની શક્તિ આપે ૐ શાંતિ શાંતિ ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને તેમના કુટુંબીજનો પર આવી પડેલ ઘાત સહન કરવાની શક્તિ આપે તે માટે પ્રભુ પાસે પ્રાર્થના

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]