બાલાસિનો તલાટી કમ મંત્રીઓ.નું વિવિધ પડતર માંગને લઇ મામલતદારને આવેદનાપત્ર આપવામાં આવ્યું - At This Time

બાલાસિનો તલાટી કમ મંત્રીઓ.નું વિવિધ પડતર માંગને લઇ મામલતદારને આવેદનાપત્ર આપવામાં આવ્યું


બાલાસિનો તલાટી કમ મંત્રી મંડળનું વિવિધ પડતર માંગને લઇ મામલતદારને વેદનાપત્ર

રાજ્ય સરકારમાં પોતાની પડતર માંગણીઓની વારંવાર લેખિતમાં રજૂઆત કરી છે. સરકાર તરફથી કોઇ નક્કર પગલાં લેવામાં આવ્યાં નથી. હવે તલાટી મહામંડળે મામલતદારને આવેદન આપીને પોતાની માંગો યાદ અપાવી છે. તલાટીઓની સરકાર દ્વારા હજી કોઈ માંગણી સ્વીકારી નથી. 13મી સપ્ટેમ્બરથી રાજ્યવ્યાપી ઉપવાસની આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જેને લઈને 13મી સપ્ટેમ્બરે સોમવારે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
બાલાસિનોર તલાટીઓએ ૧લી ઓગસ્ટે બાલાસિનોર મામલતદારને આવેદન સોંપ્યું હતું. જેમાં વર્ષ 2004-05ની ભરતીના તલાટી કમ મત્રીને સળંગ નોકરી ગણવા, વર્ષ 1 લી જાન્યુઆરી 2016ના પ્રથમ અને દ્વિતીય પગાર ધોરણ મંજુર કરવા, તલાટી કમ મંત્રીને વિસ્તરણ અધિકારી સહાય અને વિસ્તરણ અધિકારી આંકડા અધિકારી તરીકે પ્રમોશન બાબત, રેવન્યુ મહેસુલ તલાટીને પંચાયત તલાટીમાં મર્જ કરવા, વર્ષ-2006માં ભરતી થયેલ તલાટી કમ મંત્રીને સળંગ નોકરી ગણવા બાબતે રજૂઆત કરી પણ 2007ના તલાટીને 2019માં નોકરીમાં વર્ષ પુરા થતા મળવાપાત્ર પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ નામંજૂર કરવામાં આવ્યું પુનઃ શરૂ કરવા બાબત, E TAS કે
અન્ય ઉપકરણથી તલાટી કમ મંત્રીની હાજરી પુરવાનો નિર્ણય રદ કરવા, આંતર જિલ્લા ફેરબદલી, પંચાયત સિવાયની અન્ય વધારાની જવાબદારી નહીં આપવા, તલાટી ઉપર હુમલા અને તેમની બરતરફી સહિત માંગો અગાઉની સરકાર સામે મૂકી હતી. આ બાબતે સરકારે થઈ જશે તેમ જણાવ્યું હતું પરંતુ 3 વર્ષ થવા છતાં કોઈ માંગ પૂરી નહીં કરતા સરકાર સામે બાયો ચડાવી માંગો પુરી કરવા સજ્જ બન્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon