કેશોદમાં ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો - At This Time

કેશોદમાં ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો


કેશોદના વેરાવળ રોડ નજીક ગિરીરાજ નગરમાં સાર્વજનિક પ્લોટમાં શ્રીઅષ્ટ વિનાયક  ગણપતિ મંદિર સમિતિ દ્વારા ગણપતી મંદિરનું નવ નિર્માણ કરવામાં આવ્યુંછે જે મંદિરમાં શ્રીઅષ્ટ વિનાયક ગણપતિ બાપાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમીતે ત્રિદિવસીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગણપતિ બાપાના સામૈયા સાસ્ત્રોકત વિધી અનુસાર  યજ્ઞ કર્મ મુર્તી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સહીતનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમીતે યજ્ઞ આચાર્યશ્રી કિશોરભાઈ રાવલ જ્યોતિષાચાર્ય દ્વારા વૈદિક મંત્રો વૈદિક વિધીથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરાવવામાં આવી હતી મહા પુજા યજ્ઞ કર્મનો અનેક યજમાનોએ લાભ લીધો હતો સાથે મહા પ્રસાદનો લાભ લીધો હતો 

શ્રીઅષ્ટ વિનાયક  ગણપતિ મંદિર સમિતિ દ્વારા ગણપતી મંદિરનું નવ નિર્માણ નિમિત્તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણીના ત્રિદિવસીય કાર્યક્રમમાં સમસ્ત ગિરીરાજ નગરના રહેવાસીઓ આમંત્રિત મહેમાનો દાતાશ્રીઓ તથા ધર્મ પ્રેમી જાહેર જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ત્રિદિવસીય મહોત્સવનો લાભ લીધો હતો 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon