વિરપુરના ધોરાવાળાની કેનાલમાં ડૂબેલા યુવકનો મૃતદેહ મળ્યો….
મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના ધોરાવાળા ગામ પાસેથી પસાર થતી સુજલામ સુફલામ્ કેનાલમાં પાણી પીવા ઉતરેલા બાલાસિનોર તાલુકાના બે મિત્રો અચાનક પાણીમાં પડી ગયાં હતાં જોકે, તેમાંથી એક મિત્ર જેમ તેમ બહાર નિકળી ગયો હતો. જ્યારે બીજો પ્રવાહમાં તણાયો હતો આ યુવકનો મૃતદેહ શુક્રવાર વ્હેલી સવારે નહેરમાંથી મળી આવ્યો હતો બાલાસિનોર તાલુકાના કેળી પંથકમાં રહેતા ચાર યુવાન ગુરૂવારના રોજ વિરપુરના ધોરાવાળા ગામ ખાતે આવેલ કેનાલની પાસે વેળાની વેલો લેવા માટે આવ્યાં હતાં આ ચાર યુવક કેનાલ પાસેથી પસાર થતાં હતાં તે સમયે બે મિત્રને પાણીની તરસ લાગતાં તેઓ કેનાલમાં પાણી પીવા ઉતર્યાં હતાં. જોકે, તે સમયે પગ લપસતા બન્ને મિત્રો કેનાલના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા પરંતુ હાજર અન્ય મિત્રએ એકને બચાવી લીધો હતો. પરંતુ રાજસિંહ દેવાભાઈ મારવાડી (ઉ.વ.22, રહે.કેડી, તા.બાલાસિનોર) પાણીમાં ગરકાવ થતા તેની શોધખોળ હાથ ધરી હતી પણ મોડી રાત સુધી તેની કોઇ ભાળ ન મળતાં અભિયાન અટકાવી દેવામાં આવ્યું હતુ પરંતુ શુક્રવારની વ્હેલી સવારે ચાર વાગ્યાની આસપાસ ઘટનાથી થોડે પાણીમાં રાજસિંહનો મૃતદેહ તરતો મળી આવ્યો હતો. આ ઘટનાના પગલે વિરપુર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તરવૈયાની મદદથી લાશને બહાર કાઢી તેને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હતી.જોકે, રાજસિંહના પરિવારજનોએ પોસ્ટમોર્ટમ કરવાની ના પાડતાં પોલીસે આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી....
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે
