પોરબંદર જિલ્લાના માધવપુર(ઘેડ)માં કક્કડ પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન - At This Time

પોરબંદર જિલ્લાના માધવપુર(ઘેડ)માં કક્કડ પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન


👁 ચક્ષુદાન-મહાદાન👁

પોરબંદર જિલ્લાના માધવપુર(ઘેડ) મા રહેતા અગ્રણી વેપારી સ્વ. ભગવાનજીભાઇ વલ્લભદાસ કક્કડ ઉ.વર્ષ.81 કે જેઓ નટુભાઇ, પ્રવીણભાઈ તથા વિનુભાઇ ના મોટા ભાઈ તથા અસ્વિનભાઇ, પ્રકાશભાઇ તથા વિમલભાઈ તેમજ કીર્તિબેન ના પિતાશ્રી આજ રોજ તા.14/10/2022 ને શુક્રવાર,આસો વદ પાચમ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

આ દુઃખદ સમયે આ પરિવારે અંધ વ્યક્તિના જીવનમાં અજવાળાં પથરાય તેવા હેતુથી તેઓએ તેમના ચક્ષુનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો.
આથી તેઓએ માનનિય શ્રી ગોવિંદભાઇ વાળા (p h c કર્મચારિ શીલ ) નો સંપર્ક કર્યો. અને તેઓ શ્રી આ માનવતા ના મહાકાર્ય માં હાજર થઈ ગયા. અને મૃતક ના બંને ચક્ષુ લેવામાં આવ્યા. જે ચક્ષુનો સ્વિકાર શિવમ્ ચક્ષુદાનના કાર્યકર સચીનભાઈ જોટવા અને દિવ્યેશભાઈ ઘેરવડા દ્વારા કરવામાં આવ્યો હતો.અને અરશીભાઈ વાળા દ્વારા સ્વર્ગસ્થના બંન્ને ચક્ષુ ડૉ.થાનકી આઈ હોસ્પિટલ વેરાવળ,જિ.ગીર સોમનાથને પહોંચાડવામાં આવ્યાં છે.
ચક્ષુદાન લેતી વખતે ધીરુભાઈ નથવાણી અને રાજેશભાઈ રામાણી પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.તેમજ પ્રતાપભાઈ પરમાર અને આનંદભાઈ તન્નાએ આજના આ ચક્ષુદાન સમયે સાથ અને સહકાર આપ્યો હતો.
આજના આ ચક્ષુદાનમાં શિવમ ચક્ષુબેંક આરેણા નો હ્રદય થી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તથા પોરબંદર નેચર ક્લબના સાજણભાઈ ઓડેદરાનો સાથ અને સહકાર રહ્યો હતો તથા ડો. કામિલ મેમણ (c h c માધવપુર ઘેડ) નો પણ અમૂલ્ય સહયોગ રહ્યો હતો.

કક્કડ પરિવારના આ મહાદાનને શિવમ્ ચક્ષુદાન આરેણા વંદન કરે છે.

કક્કડ પરિવારના ચક્ષુદાનના આ વિચારને શિવમ્ ચક્ષુદાન-આરેણા બિરદાવે છે અને ભગવાનજી ભાઈ ને શ્રધ્ધાંજલી અર્પે છે.

આ પરિવાર દ્વારા થયેલ આ ચક્ષુદાને આપણા પૂરાણોમાં થયેલા દાન ધર્મના મહિમાને ખરા અર્થમાં સાર્થક કર્યો છે.

કક્કડ પરિવાર દ્વારા થયેલ આ મહાદાનને શિવમ્ ચક્ષુદાન ગૃપ-આરેણા,માંગરોળ જાયન્ટ્સ ગૃપ,વંદેમાતરમ્ ગૃપ-માંગરોળ,સ્વ.લક્ષમણભાઈ એ.નંદાણિયા વિવિધલક્ષી સેવાકીય ટ્રસ્ટ-માંગરોળ,સંજીવની નેચર ફાઉન્ડેશન-માંગરોળ,શ્રી ડુગરગુરુ સ્થાનક વાસી જૈન યુવક મંડળ જુનાગઢ,માંગરોળ તાલુકાના પત્રકારમિત્રો,ઈન્ડિયન વુમન રાઈટ્સ એસોસિયેશન-માંગરોળ દ્વારા બિરદાવવામાં આવે છે.અને આપના પરિવાર પર આવી પડેલ મુશ્કેલીને સહન કરવાની શક્તિ પ્રભુ આપને આપે તેવી પ્રાર્થના કરીએ છીએ.
કક્કડ પરિવાર દ્વારા થયેલ આ મહાદાનને સમસ્ત જનતા વંદન કરે છે.અને આપના પરિવાર પર આવી પડેલ મુશ્કેલીને સહન કરવાની શક્તિ પ્રભુ આપને આપે તેવી પ્રાર્થના કરીએ છીએ.તેમજ સ્વર્ગસ્થ ભગવાનજી ભાઇના આત્માને ઈશ્વરના ચરણોમાં સ્થાન મળે તે પ્રાર્થના સહ શ્રધ્ધાંજલી....

સંકલન નાથાભાઇ નંદાણીયા
રિપોર્ટર સુદીપ ગઢિયા
9909622115
(સકારાત્મક રચનાત્મક સેવાકીય સમાચાર માટે સંપર્ક કરવો)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon