ચોટીલા ના સુરજદેવળ ખાતે કાઠી ક્ષત્રિય સમાજ નું સંમેલન યોજાયું. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/n7irmyzkby5nrtm7/" left="-10"]

ચોટીલા ના સુરજદેવળ ખાતે કાઠી ક્ષત્રિય સમાજ નું સંમેલન યોજાયું.


સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તા.ના દેવસર ગામ એ નવા સૂરજદેવળ મંદિર ખાતે સમસ્ત કાઠી દરબાર ક્ષત્રિય સમાજ નું સંમેલન હોય યોજાયેલ હતું જે સંમેલન નો હેતુ કાઠી સમાજ નું એક રજિસ્ટર્ડ સંગઠન ની રચના થઈ હતી.સંગઠન નું નામ *અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ* નામ નું સંગઠન ની રચના કરવામાં આવેલ હતી જે સંગઠન ભારત ભરમાં કાર્યરત રહેશે.એ સંગઠન ના અધ્યક્ષ (પ્રમુખ) તરીકે શિવરાજભાઈ(મુન્નાભાઈ) વીંછીયા ગામ- રબારીકા ની નિમણુક કરવામાં આવેલ હતી તથા વિવિધ આગેવાનો ને અલગ અલગ શહેરો માં નિમણૂક કરવાની હોય જે સંગઠન નો હેતુ કાઠી સમાજ સામજીક, શેક્ષણિક, રાજકીય ક્ષેત્રે કઈ રીતે આગળ વધી શકાય તે બાબતે સામાજીક ચર્ચાઓ કરવામાં આવશે. આ સંમેલન માં મુખ્ય મુખ્ય આગેવાનો અલગ અલગ જિલ્લા તાલુકા માથી વિશાળ સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા.આ સંગઠન દ્વારા રાજકીય સમાજ શિક્ષણ સામાજિક બાબતોની ચર્ચાઓ કરેલ હતી આગામી સમય માં ગામડે થી તાલુકા જિલ્લા ના હોદ્દેદારો ની નિમણૂક કરવામાં આવશે

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]