દિલ્હી બાલ ભવન ખાતે શિશુવિહાર નું પ્રતિનિધિત્વ - At This Time

દિલ્હી બાલ ભવન ખાતે શિશુવિહાર નું પ્રતિનિધિત્વ


દિલ્હી નેશનલ બાલ ભવન દિલ્હી ખાતે નહેરુજી ની જયંતિ નિમિતે રાષ્ટ્રીય એકીકરણ શિબિર તા.14 નવેમ્બર થી 16 નવેમ્બર 2022 દરમિયાન યોજવામાં આવેલ 'સશકત ભારત' વિષયે આયોજિત કાર્યક્રમ માં ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ તરીકે શહેરની જાણીતી બાળ વિકાસ સંસ્થા શિશુવિહાર થી કરણ , યશ , દેવ તથા વૈભવ રાઠોડ એ ઉત્સાહ પૂર્વક ભાગ લઈને.. ક્રાફટ , ગેમ ઝોન , ડાન્સ , કવિઝ , ચિત્ર જેવી પ્રવૃત્તિમાં સમગ્ર દેશ ના બાળકો વચ્ચે પુરસ્કાર મેળવ્યો હતો..... સવિશેષ શિશુવિહાર બાલભવનના વિદ્યાર્થીઓ અને ત્રણ શિક્ષકોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સૌરાષ્ટ્રની ઓળખ રજૂ કરતા કાર્યક્રમો વ્યક્ત કરીને દેશભરમાં ભાવનગરનું નામ ઉજાગર કરેલ.. શિબિરાર્થી તરીકે વિદ્યાર્થીઓ ને દિલ્હી દર્શન નો લાભ મળ્યો હતો.. સમગ્ર કાર્યક્રમ નું સંકલન તાલીમી શિક્ષક શ્રી કમલેશભાઈ વેગડ , શ્રી હિનાબહેન ભટ્ટ તથા શ્રી પ્રીતિબહેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું.........

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon