વિંછીયામાં ભાજપ સદસ્યતા અભિયાન-૨૦૨૪ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું - At This Time

વિંછીયામાં ભાજપ સદસ્યતા અભિયાન-૨૦૨૪ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું


વિંછીયા ખાતે જસદણ-વિંછીયા વિધાનસભા મવિસ્તારનાં ભાજપ દ્વારા સશકત ભાજપા - વિકસિત ભારત અન્વયે "ભાજપ સદસ્યતા અભિયાન-૨૦૨૪" કાર્યક્રમ જસદણ-વિંછીયાના ધારાસભ્ય અને ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે જસદણના આગેવાન અને રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી અશોકભાઈ એમ. ચાંવ ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ તકે જસદણ-વિંછીયા તાલુકાના તમામ લોકો આ સદસ્યતા અભિયાનમાં જોડાઇ તેવો અનુરોધ કરાયો હતો. તેમજ આ અભિયાન માટે કાર્યરત કાર્યકરો - આગેવાનોને પ્રોત્સાહન અપાયું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.