શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને નાડાછડી-ગુલાબનો દિવ્ય શણગાર એવં વિશ્વશાંતિ હનુમાન ચાલીસા અને હનુમંત મંત્ર યજ્ઞ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/maootxknlkgxkzmi/" left="-10"]

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને નાડાછડી-ગુલાબનો દિવ્ય શણગાર એવં વિશ્વશાંતિ હનુમાન ચાલીસા અને હનુમંત મંત્ર યજ્ઞ


શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ મંગળવાર નિમિતે તા.09-08-2022ના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની શુભ પ્રેરણાથી એવં કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી એવં પૂજારી સ્વામીની મહેનતથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય નાડાછડી-ગુલાબનો દિવ્ય શણગાર ધરાવવામાં આવેલ તથા સવારે 5:45 કલાકે શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામી -અથાણાવાળા દ્વારા કરવામાં આવેલ. બપોરે ૧૧.૧૫ કલાકે પેન-પેન્સીલનો શણગાર કરવામાં આવેલ.જેમાં દાદાને અનેકવિધ પેન-પેન્સીલ ધરાવવામાં આવેલ. પવિત્ર શ્રાવણ માસ નિમિતે વિશ્વશાંતિ હનુમાન ચાલીસા અને હનુમંત મંત્ર યજ્ઞ અંતર્ગત પવિત્ર બ્રાહ્મણો દ્વારા મંત્રો- યજ્ઞ-પૂજા પાઠ કરવામાં આવેલ. દિવ્ય સત્સંગના શ્રવણ- દર્શનનો હરિભક્તોએ લઈ ધન્યતાનો અનુભવ કરેલ.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]