મોંઘવારી અને બેરોજગારી મુદ્દે ગુજરાત બંધના એલાનને સમર્થન આપી લીલીયા ગામ સજ્જડ બંધ - At This Time

મોંઘવારી અને બેરોજગારી મુદ્દે ગુજરાત બંધના એલાનને સમર્થન આપી લીલીયા ગામ સજ્જડ બંધ


સતત વધતી બેરોજગારી, ભ્રષ્ટાચાર, અને મોંઘવારી ના વિરોધમાં કોંગ્રેસ પાર્ટી આકરાપાણીએ યુવાનમાં બેરોજગારી , ગરીબોની દયનિય સ્થિતિ અને ભ્રષ્ટાચાર સાતમે આસમાને થતા જનતા ત્રાહિમામ પોકારી ગયેલ છે ત્યારે ગુજરાત કોંગ્રેસ પાર્ટી દ્વારા તા 10/9/2022 ના રોજ ગુજરાત બંધનું એલાન કરવામાં આવેલ, બંધનો સમય સવારના 8થી બપોરના 12 સુધીનો રાખેલ ત્યારે લીલીયા તાલુકા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખશ્રી ખોડાભાઈ માલવિયાએ જણાવેલ કે જો આમ જનતાને મોંઘવારીનો માર આમનેમ રહેશે તોઆવનારા સમયમાં ભાજપના મનસ્વી વલણનું જનતા પોતાના મત દ્વારા જવાબ આપીને ભાજપને જાકારો આપશે
વધુમાં જણાવ્યું કે નાના માણસોને કાચાડવાનું અને ઉદ્યોગપતિઓના ઈશારે કામકરવાનું બંધ કરે સરકાર
સમગ્ર લીલીયા તેમજ તાલુકાના તમામ વેપારીઓ, વિદ્યાર્થીઓ, બેરોજગાર યુવાનોએ સહયોગ આપી બંધના એલાનને સમર્થન આપ્યું

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon