લુણવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તિરંગા રેલી યોજાઈ - At This Time

લુણવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તિરંગા રેલી યોજાઈ


લુણવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તિરંગા રેલી યોજાઈ

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત આજ રોજ લુણવા પ્રાથમિક સાળા દ્વારા તિરંગા રેલી યોજાઈ હતી. જેમાં લુણવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી ઓ દ્વારા લુણવા ગામની શેરીઓ માં તિરંગા યાત્રા નીકળી હતી. તિરંગા રેલી શેરીઓ માં નીકળી ત્યારે સૌ કોઈ એ દેશ પ્રેમ માટે આનંદ ની લાગણી વ્યક્ત કરી હતી.વિદ્યાર્થી ઓ ની દેશ ભાવના ને જોઈ દરેક એ ખુશી વ્યક્ત કરી હતી. દરેક લોકો પણ પોતાના નિવાસસ્થાન પર તિરંગા લહેરાવી અને આઝાદી નું 75મુ અમૃત મહોત્વ ઉજવી રહ્યા છે. ભારત દેશ આઝાદ થયો તેને 75 વર્ષ થયા ખુશીમાં સમગ્ર દેશ માં તિરંગા યાત્રા યોજાઈ રહી છે.
સમગ્ર દેશ વાસીઓ આઝાદી નું અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે ત્યારે સાળા ના નાના ભૂલકા ઓ હાથમાં તિરંગા લઈને ભારત માતાકી જય અને વંદે માતરમ ના જય ઘોષ થી દેશ પ્રેમ વ્યક્ત કરી અને ખુશી વેયકત કરી હતી. તિરંગા યાત્રામાં પ્રાથમિક શાળાના આચાર્ય શિક્ષક સ્ટાફ એસ. એમ. સી. સિમિતિ.લુણવા ગામના સરપંચ તિરંગા યાત્રા માં જોડાયા હતા.

રિપોર્ટ -દિપક આહીર
ભચાઉ કચ્છ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon