આમ આદમી પાર્ટી દ્વારા દહેગામ ના ચેખલાપગી ગામમા જનસંવાદ કાર્યક્રમ કરવામાં આવ્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/lz0sgnvqwl8hyqtl/" left="-10"]

આમ આદમી પાર્ટી દ્વારા દહેગામ ના ચેખલાપગી ગામમા જનસંવાદ કાર્યક્રમ કરવામાં આવ્યો


દહેગામ આમ આદમી પાર્ટી દ્વારા ચેખલાપગી ગામમાં જન સંવાદ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં ખુબ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.દિલ્લી ના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી ના સચિવ અરવિંદ કેજરીવાલ વિધાનસભા ની ચૂંટણી પહેલા ગુજરાત માં ઘણી બધી સભાઓ કરતા હોય છે અને દિલ્લી મોડેલ દ્વારા ગુજરાત માં પણ ફ્રી વીજળી અને ફ્રી શિક્ષણ વિશે જાહેરાત કરતા હોય છે ત્યારે આજે ચેખલાપગી ગામમા પણ આ કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દહેગામ આમ આદમી પાર્ટી ના સંગઠન મંત્રીમાં રોનકભાઈ ત્રિવેદી,દહેગામ 64 ના વિધાનસભા ના કમલેશભાઈ ત્રિવેદી, ઘનસ્યામસિંહ , વિજેન્દ્રસિંહ,સુહાગભાઈ પંચાલ સાહેબ અને ગામના પ્રવિણસિંહ રાઠોડ, પરેશસિંહ રાઠોડ, વેચાતસિંહ રાઠોડ, ભીખાજી રાઠોડ, બાવાજી રાઠોડ હાજર રહીને ગામના અને દેશના વિકાસ માટે આમ આદમી પાર્ટી ને સમર્થન આપવા માટે જણાવ્યું હતું.આ કાર્યક્રમ માં ચેખલાપગી ગામમાંથી આમ આદમી પાર્ટી માં 100 લોકો જોડાયા હતા., એટ ધીસ ટાઈમ ન્યૂઝ દહેગામ રિપોર્ટર :મહેશસિંહ રાઠોડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]