સુઈગામ તાલુકાના ગરાંબડી ગામના તરુણએ ફાંસી લગાવી આપઘાત કરતાં આત્મહત્યા કે હત્યા ની શંકા. - At This Time

સુઈગામ તાલુકાના ગરાંબડી ગામના તરુણએ ફાંસી લગાવી આપઘાત કરતાં આત્મહત્યા કે હત્યા ની શંકા.


સુઈગામ પોલીસે જાણવા જોગ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી...

બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના ગરાંબડી ગામના ૧૪ વર્ષીય કિશોરની ગત રવિવારની મોડી રાત્રે ખેતરમાં ગળે ફાંસો લગાવેલી હાલતમાં લાશ મળતાં સરહદી પંથકમાં ચકચાર મચી જવા પામી હતી, સુઇગામ તાલુકાના ગરાંબડી ગામના રમેશભાઈ સગથાભાઈ ઠાકોર ના૧૪ વર્ષ ના દીકરા શ્રવણ એ અગમ્ય કારણોસર તા.19.2.23ના રવિવાર ની રાત્રે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું, જેની મોડી રાત્રે ખેતર માંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી, જો કે શ્રવણ ઠાકોરે આત્માહત્યા કરી છે કે કોઇ એ હત્યા કરી છે તે વિશે તેના પરિવારને શંકા જતા તેના પરિવારે સુઈગામ પોલીસને જાણ કરી ને પોલીસ ને ઘટના સ્થળે બોલાવી હતી ત્યારે સુઇગામ પોલીસ ઘટના સ્થળે પહોંચીને લાશને સુઇગામ રેફરલ હોસ્પિટલમાં લાવીને તેનું પી.એમ કરાવી ને તેના વાલી વારસો ને લાશ સુપ્રીત કરી હતી, મૃતકના પિતા રમેશભાઇ ઠાકોરે સુઇગામ પો.સ્ટે જાણવા જોગ એ.ડી દાખલ કરાવી હતી. જેની વધુ તપાસ સુઇગામ પોલીસ કરી રહી છે.

રિપોર્ટ-:જીતેન્દ્રસિંહ ઝાલા
સુઈગામ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon