શ્રી સોમનાથ મહાદેવના દર્શને પધારેલા માન. ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી
શ્રી સોમનાથ મહાદેવના દર્શને પધારેલા માન. ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી
સોમનાથ, તારીખ: 18/03/2025
ગુજરાતના માન.ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી આજે સોમનાથ ખાતે બીચ ફેસ્ટિવલના ઉદ્ઘાટન પ્રસંગે પધાર્યા હતા. આ અવસરે તેઓએ શ્રી સોમનાથ મહાદેવના દિવ્ય દર્શન કરી, શીશ નમાવી મહાદેવનો જલાભિષેક કર્યો હતો તેમજ પૂજા સામગ્રી અર્પણ કરી સમગ્ર રાજ્ય પર શ્રી મહાદેવની કૃપા માટે પ્રાર્થના કરી હતી.
શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા સાહેબે માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનું સન્માન કર્યું હતું અને તેમને શ્રી સોમનાથ મહાદેવનું સ્મૃતિ ચિહ્ન તથા પ્રસાદ અર્પણ કરી અભિવાદન કર્યું હતું
જનરલ મેનેજર
શ્રી સોમનાથ ટ્રસ્ટ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
