સાયલા ના ખીટલા ગામે "પ્રાકૃતિક ખેતી તરફ પાછો વળો"વિષય પર ખેડૂતો માટેની તાલીમ યોજાઈ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/l8ybby11fkr3yqke/" left="-10"]

સાયલા ના ખીટલા ગામે “પ્રાકૃતિક ખેતી તરફ પાછો વળો”વિષય પર ખેડૂતો માટેની તાલીમ યોજાઈ.


સાયલા તાલુકાના ખીંટલા મુકામે ગુજરાત ઇકોલોજી કમિશન, ગુજરાત સરકાર, ગાંધીનગર, વન અને પર્યાવરણ વિભાગ, શ્રી જગતભારતી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને આત્મા પ્રોજેક્ટ સુરેન્દ્રનગર ના સયુંકત ઉપક્રમે ખેડૂતો માટેનો તાલીમ કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં *ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ પાછા વળે અને પ્રકૃતિક ખેતી કરતા થાય* તે માટે પ્રોત્સાહન પૂરું પાડવા તેમજ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવા માટે આ તાલીમનું આયોજન કરવામાં આવેલ. તાલીમ કાર્યક્રમમાં વિષય નિષ્ણાતો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પાછા વળવા માટે પ્રોત્સાહિત કરવા વિડિયો નિદર્શન તેમજ ચર્ચા કરવામાં આવી હતી. તાલીમ કાર્યક્રમમાં આત્મા પ્રોજેકટ કર્મચારીઓ, આત્મા કાર્યક્રમના ખેડૂત મિત્રો, ગામ આગેવાનો અને ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા. આવનાર સમયમાં સાયલા તાલુકાના બીજા છ ગામોમાં આવી તાલીમો યોજાનાર છે એવી વાત તાલીમ સહ સંયોજક જીજ્ઞેશકુમાર પટેલે આપી હતી.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
મોં, 9998898958


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]